હિંદુ ધર્મમાં માનતા મોટાભાગના લોકો સવાર અને સાંજ બંને સમયે પૂજા કરે છે. જેમ સવારની પૂજા માટે ખાસ નિયમો છે, તેવી જ રીતે સાંજની પૂજા માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
સાંજની પૂજામાં રાખો સાવધાની
સાંજની પૂજા માટે છે આ ખાસ નિયમ
સુર્યાસ્ત બાદની પૂજામાં રાખો ખાસ ધ્યાન
હિંદુ ધર્મમાં રોજીંદા જીવનમાં પણ પૂજાને ખાસ મહત્વ આપવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાનની ઉપાસનાની સાથે મૂર્તિપૂજાનું પણ મહત્વ છે. જે લોકો દરરોજ સવારે અને સાંજે પૂજા કરે છે તેઓ સારી રીતે જાણે છે કે પૂજા માટે સમય અને ચોઘડિયાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમ સવારની પૂજાનું ખાસ મહત્વ છે. તેવી જ રીતે સાંજની પૂજાનું પણ ખાસ મહત્વ છે. ચાલો જાણીએ સવાર-સાંજ પૂજાના નિયમો શું છે.
સાંજની પૂજાના નિયમો
હિંદુ ધર્મની પરંપરામાં માનનારા લોકો ઘરમાં બે વાર પૂજા કરે છે. એક વાર સવારે અને બીજી વાર સાંજે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે આ બંને સમયની પૂજાની પદ્ધતિમાં થોડો તફાવત છે. સાંજની પૂજા દરમિયાન કેટલીક ખાસ તકેદારી રાખવાની હોય છે. જેનું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવું જોઈએ.
શંખ વગાડવો
ઘર હોય કે મંદિર આ બંને જગ્યાએ સૂર્યાસ્તના સમયે ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરંતુ જો તમે સૂર્યાસ્ત પછી અથવા રાત્રે પૂજા કરો છો તો શંખ અથવા ઘંટ વગાડવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી દેવતાઓ પણ સૂઈ જાય છે. તેથી તેમને જગાડવા જોઈએ નહીં.
તુલસીના પાન
ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજામાં તુલસીનો ખાસ ઉપયોગ થાય છે. જો પૂજા રાત્રે કરવી હોય તો તુલસીના પાન તોડીને સૂર્યાસ્ત પહેલા મુકી દેવા જોઈએ. તુલસીના પાન રાત્રે ન તોડવા જોઈએ.
સૂર્ય દેવ
શાસ્ત્રોમાં ભગવાન સૂર્યની પૂજા માટે દિવસનો સમય સર્વોત્તમ માનવામાં આવ્યો છે. દિવસમાં કોઈ પણ દેવી-દેવતાઓની પૂજામાં સૂર્ય દેવનું આવાહ્ન અને પૂજન જરૂરી માનવામાં આવ્યું છે. એવામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જોકે રાતના સમયે આમ ન કરવું.