કોરોનાના દર્દીઓને ટીબી થઈ રહ્યો હોવાના કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યાં બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દર્દીઓની ટીબીની તપાસની ભલામણ કરી છે.
કોરોનાના દર્દીઓમાં ટીબી ફેલાઈ રહ્યો છે
દરરોજના ડઝન કેસો આવી રહ્યાં છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના દર્દીઓનો ટીબીની તપાસની ભલામણ કરી
મીડિયા રિપોર્ટ અનુસાર, કોરોનાના કેટલાક સંક્રમિતોમાં ટીબીના કેસોમાં અચાનક વધારો થયો છે. દરરોજના લગભગ ડઝન જેટલા આવા કેસો નોંધાતા ડોક્ટરો ચિંતિત થયા છે.
કોરોના સંક્રમિત દર્દીઓની ટીબીની તપાસ તથા ટીબીના દર્દીઓ માટે કોવિડ તપાસની ભલામણ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના સંક્રમિત દર્દીઓની ટીબીની તપાસ તથા ટીબીના દર્દીઓ માટે કોવિડ તપાસની ભલામણ કરાઈ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે તેઓ ઓગસ્ટ 2020 સુધી બેહતર દેખરેખ અને ટીબી તથા કોવિડ-19 ના કેસોની જાણકારી મેળવવામાં પ્રયાસોમાં એકરુપતા લાવવામાં આવે.
તે ઉપરાંત ટીબી-કોવિડ અને ટીબી ની દિશાત્મક તપાસની જરુરીયાત પર ભાર મૂકતા આરોગ્ય મંત્રાલય દ્વારા ઘણી સલાહ અને માર્ગદર્શન પણ જારી કરાયા છે. ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો લાગુ પણ કરી રહ્યાં છે.
શું કોરોનાના કારણે ટીબીમાં વધારો થયો
કોરોના મહામારીને કારણે ઘણા પ્રતિબંધોને કારણે 2020 માં ટીબી માટે કેસ નોટિફિકેશનમાં લગભગ 25 ટકાનો ઘટાડો આવ્યો હતો પરંતુ તમામ રાજ્યો દ્વારા સમૂદાયમાં ઓપીડી સેટિંગ્સમાં કેસ ફાઈન્ડિંગની સાથે સાથે એક્ટિવ કેસ ફાઈન્ડિંગ અભિયાનોના માધ્યમ દ્વારા આ અસરને ઓછી કરવા માટે વિશેષ પ્રયાસ કરાઈ રહ્યાં છે.