રાજસ્થાનમાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા તૈયાર થઈ ગઈ છે. 29 ઓકટોબરથી 6 નવેમ્બર સુધી આ પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થશે.
રાજસ્થાનમાં સૌથી ઊંચી શિવજીની મૂર્તિ તૈયાર
369 ફૂટની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
29 ઓકટોબરથી 6 નવેમ્બર સુધી લોકાર્પણ કાર્યક્રમ
રાજસ્થાનમાં વિશ્વની સૌથી ઊંચી શિવજીની મૂર્તિ તૈયાર
રાજસ્થાનમાં વિશ્વની સૌથી ઊંચી શિવની મૂર્તિ તૈયાર થઈ ચૂકી છે. 369 ફૂટની મૂર્તિનું લોકાર્પણ 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી થશે, જેને લઈ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. 9 દિવસ સુધી ચાલનાર આ ઉત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે. આ મૂર્તિ નાથ દ્વારમાં તૈયાર થઈ ચૂકી છે.
પ્રતિમાના લોકાર્પણને લઈને સંત કૃપા સનાતન સંસ્થાનના ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું કે વિશ્વની સૌથી ઊંચી શિવ મૂર્તિ 'વિશ્વાસ સ્વરૂપમ' તરીકે ઓળખાશે. પહેલા આ મૂર્તિ 351 ફૂટ સુધીની હતી, ત્યાર બાદ મહાદેવે ગંગાને જટામાં મૂક્યા બાદ શિવ પ્રતિમા 18 ફૂટથી ઊંચી થઈને 369 ફૂટ થઈ ગઈ. જે વિશ્વમાં અનન્ય છે. મદન પાલીવાલે જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં 9 દિવસ સુધી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોરારિ બાપુની 9 દિવસીય રામ કથાનો ઉમેરો કરશે.
ક્યાં આવેલી છે આ પ્રતિમા?
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના શ્રીજી નગરી નાથદ્વારાના ગણેશ ટેકરી પર બનેલી આ પ્રતિમા 51 વીઘાની પહાડી પર બનેલી છે. આ મૂર્તિમાં ભગવાન શિવ ધ્યાનની મુદ્રામાં બિરાજમાન છે, જે 20 કિલોમીટર દૂરથી દેખાય છે. રાત્રિના સમયે પણ આ મૂર્તિ સ્પષ્ટ દેખાઈ શકે તે માટે ખાસ એલઈડી લાઈટો લગાવવામાં આવી છે. 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન નાથદ્વારામાં યોજાનાર આ ઉત્સવમાં મોરારિ બાપુના પ્રવચનની સાથે આસ્થા, સંસ્કૃતિ, સંગીત અને કલાનો મહાસંગમ થશે.
જર્મન ટેક્નોલોજીથી બનેલા પંડાલમાં રામ કથા યોજાશે, સંત કૃપા સનાતન સંસ્થા દ્વારા આયોજિત આ મહોત્સવનો નજારો મહાકુંભથી ઓછો નહીં હોય. લગભગ 1.5 લાખ ચોરસ ફૂટનો પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને લગભગ 2 લાખ ચોરસ ફૂટમાં ભોજનાલયનો પંડાલ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ પંડાલો જર્મન ટેક્નોલોજીથી બનાવવામાં આવી રહ્યા છે. કથા પંડાલમાં 50 હજાર જેટલા શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
Serenity is a blessing that sets a person free from stress or anxiety. Statue Of belief is blessed with such serenity so that you open your eyes to see the beauty of life!
નવ દિવસ સુધી દરરોજ એક લાખ લોકો માટે ભોજનનો પ્રસાદ
લોકાર્પણ મહોત્સવમાં દરરોજ 1 લાખ લોકો અન્નકૂટનો પ્રસાદ લેશે. સર્વિસ કાઉન્ટર સુધી સામગ્રી પહોંચાડવા અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. આયોજન માટે નાથદ્વારા, ઉદયપુર સહિત આસપાસની હોટલોમાં એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.