ભારતની CSIR સેન્ટ્રલ મિકેનિકલ એન્જીનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દુનિયાનું સૌથી મોટું સોલાર ટ્રી બનાવવામાં આવ્યું છે. આ ડિઝાઇનમાં 35 સેન્ટ્રલ ટાવરમાંથી 35 સોલાર પેનલ ડાળીઓની જેમ બહાર આવે છે.
મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની પ્રેસ રિલીઝ પ્રમાણે આ સોલાર ટ્રીની ઇન્સ્ટોલ થયેલી કેપેસીટી 11.5 કિલોવૉટ પીક છે. તે વાર્ષિક 12,000 થી 14,000 જેટલી ક્લીન અને ગ્રીન એનર્જી ઉત્પાદિત કરી શકે છે. આ સોલાર ટ્રીનું નિર્માણ ભારતના ખેડૂતોની જરૂરિયાતો માટે કરવામાં આવ્યું છે.
ખેડૂત ઓછી જગ્યામાં અશ્મિ બળતણ વિનાની પ્રદૂષણરહિત ઉર્જા મેળવી શકશે
આ ટ્રીથી હાઈ કેપેસીટી પમ્પ, ઈ ટ્રેકટર અને ઈ પાવર ટ્રીલર્સને ઉર્જા આપવાની યૌજના છે. આમ ખેડૂત ઓછી જગ્યામાં અશ્મિ બળતણ વિનાની પ્રદૂષણરહિત ઉર્જા મેળવી શકશે.
ખેડૂતો સાથે સાથે એવી પણ યોજના છે કે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશન તરીકે આ સોલાર ટ્રીને પાર્કિંગ લોટ અને કોર્પોરેટ કેમ્પસમાં ફિટ કરવામાં આવે.
સોલાર પેનલ્સ વચ્ચે એટલી જગ્યા ખાલી હશે કે ટ્રીની નીચે પણ પાક ઉગાડી શકાશે
સૌથી મહત્વની બાબત એ છે કે મોટા ભાગે સોલાર પેનલ્સ લગાવવા જતા મોટા પ્રમાણમાં જમીન રોકાઈ જાય છે જેથી ખેતીની જમીન ઓછી થઇ જાય છે. આ સોલાર ટ્રીની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે જેથી સોલાર પેનલ્સ વચ્ચે એટલી જગ્યા ખાલી હશે કે ટ્રીની નીચે પણ પાક ઉગાડી શકાશે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે પરંપરાગત સોલાર પેનલ્સ કરતા આ ટ્રીમાં ફક્ત 1% જમીન રોકાશે અને 100 ગણો વધુ સોલાર પાવર આપવામાં આવશે. આ પ્રકારના ઉર્જા સ્ત્રોતોની અત્યારે દુનિયાભરના ખેડૂતોને તાતી જરૂર છે. ખાસ કરીને કોરોનાના સમયમાં ખેડૂતોને પાક ઉગાડવા માટે સંસાધનો અને ઉર્જા મળી રહે તે જરૂરી છે.