કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ પ્રસંગે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હાજર હતા.
લદ્દાખની પહાડીયોમાં લહેરાયો તિરંગો
આ રાષ્ટ્ર ધ્વજ 1000 કિલોનો છે
આ પ્રસંગે સેના પ્રમુખ નરવણે પણ હાજર રહ્યાં
#WATCH World's largest Khadi national flag installed in Leh town, inaugurated by Ladakh Lieutenant Governor RK Mathur
લદ્દાખની પહાડીયો પર લહેરાવ્યો દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ
કેન્દ્વીય શાસિત પ્રદેશ લદ્દાખના ઉપરાજ્યપાલ આર.કે.માથુરે મહાત્મા ગાંધીની જન્મજંયતી ઉપર ખાદીના કાપડમાં બનેલા તિરંગાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ છે. આ તિંરગાને લહેની જનસ્કાર પર્વત પર લગાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્ર ધ્વજના અનાવરણ મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતી પર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે,મહાત્મા ગાંધીને ખાદીનો પર્યાય માનવામાં આવે છે.
#WATCH | 150 troops of Indian Army’s 57 Engineer regiment carried the world’s largest Indian National flag made of khadi to the top of a hill at over 2000 feet above the ground level in Leh, Ladakh. It took two hours for troops to reach the top. pic.twitter.com/ZvlKEotvXy
લદ્દાખની રાજધાની લેહમાં ખાદી રાષ્ટ્રીય ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન એરફોર્સના હેલિકોપ્ટરોએ તિરંગાના માનમાં ફ્લાય પાસ્ટ કરી હતી. ઉદઘાટન સમારોહના કર્તાના જણાવ્યા અનુસાર, તેની લંબાઈ 225 ફૂટ, પહોળાઈ 150 ફૂટ અને વજન 1000 કિલો છે. તેને બનાવવામાં 4500 મીટર ખાદીના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે સેના પ્રમુખ નરવણે પણ હાજર હતાં
આ કાર્યક્રમમાં આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે અને સેનાના અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે બે દિવસની લદ્દાખની મુલાકાતે છે. અહીં તેમણે વર્તમાન પરિસ્થિતિ વિશે પૂછ્યું. આ કાર્યક્રમ બાદ સેના પ્રમુખે ભારત-ચીન સરહદ પર સ્થિતિ વિશે કહ્યું કે છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ સામાન્ય છે. ચીન સાથે વાતચીતનો 13 મો રાઉન્ડ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં યોજાશે. આશા છે કે બંને દેશો વચ્ચે સર્વસંમતિ બની શકે છે.
It is a moment of great pride for 🇮🇳 that on Gandhi ji's Jayanti, the world's largest Khadi Tiranga is unveiled in Leh, Ladakh.
I salute this gesture which commemorates Bapu's memory, promotes Indian artisans and also honours the nation.
કેન્દ્વીય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વિટ કર્યું હતું
કેન્દ્વ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તિરંગાના અનાવરણ પર ટ્વિટ કર્યું હતું કે, ભારતીય ધ્વજ માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે કે, વિશ્વના સૌથી મોટા ખાદી તિરંગાનું ગાંધીજીની જન્મ જયંતિએ લેહે, લદ્દાખમાં અનાવરણ કરવામાં આવી રહ્યું છે. હું આ ભાવનાને સલામ કરું છું જે બાપુની સ્મૃતિને યાદ કરે છે. ભારતીય કારીગરોને પ્રોત્સાહન આપે છે. અને રાષ્ટ્રનું સન્માન પણ કરે છે
નેતાઓએ આપી મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલી
ઘણાં નેતાઓએ સોશિયલ મીડિયા પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે રક્ષામંત્રી કેન્દ્વ શાસિત પ્રદેશ લક્ષદીપ પહોંચ્યાં છે. જ્યાં તેઓઓ માહાત્મ ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે