આજે અમે તમને કંબોડિયા સ્થિત દુનિયાના સૌથી મોટા મંદિર માટે જણાવવા જઇ રહ્યા છીએ. આ મંદિરનું નામ છે અંકોરવાટ. યૂનેસ્કો દ્વારા આ મંદિરને વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ રાજધાની નોમ પેન્હથી આશરે 206 કિલોમીટર દૂર આવેલું છે. આ દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્મારક પણ કહેવામાં આવે છે.
162.6 હેક્ટર જમીન પર બનેલા આ મંદિરને મૂળ રૂપથી ખમેર સામ્રાજ્યના માટે ભગવાન વિષ્ણુના એક હિંદુ મંદિરના રૂપમાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ ધીરે ધીરે 12મી શતાબ્દીના અંતમાં બૌદ્ધ મંદિરના રૂપમાં પરિવર્તિત થઇ ગયું. આ કંબોડિયાના અંકોરમાં સ્થિત છે જેનું જૂનુ નામ યશોધરપુરા હતું.
માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ સમ્રાટ સૂર્યવર્મન દ્વિતીયના શાસનકાળમાં થયું હતું આ એક વિષ્ણુ મંદિર છે. જ્યારે આ પહેલા રાજાઓએ શિવલ મંદિરોનું નિર્માણ કર્યું હતું.
સંસારનું સૌથી મોટા મંદિરના નામથી ઓળખાતું આ મંદિર મીકાંગ નદીના કિનારે વસ્યું છે. એને રાષ્ટ્ર માટે સમ્માનનું પ્રતીક પણ માનવામાં આવે છે.
આ મંદિરને 1983 બાદથી કંબોડિયાના રાષ્ટ્રધવ્જમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ મંદિર મેરુ પર્વતનું એક પ્રતીક માનવામાં આવે છે. એની આસપાસ સ્થિત અન્ય મંદિર પણ સુંદરતાના પ્રતીક છે.
અહીંયા લોકો માત્ર વાસ્તુશાસ્ત્રની મજા લેવા નહીં પરંતુ અહીંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા પણ આવે છે.