વૈજ્ઞાનિકોનો દાવો છે કે 24 એપ્રિલ 2022થી માનવી પાસે માત્ર 27 વર્ષ 251 દિવસ માટેનું ભોજન રહેશે.જાણો આ વિષે વિગતવાર
ધરતી પર ખૂટી રહ્યો છે અન્નનો પુરવઠો
માત્ર 27 વર્ષ 251 દિવસ ચાલે એટલું ભોજન રહેશે
અન્ન અને પાણી માટે વિશ્વયુદ્ધ થઇ શકે તેવી સંભાવના
ધરતી પર ખૂટી રહ્યો છે અન્નનો પુરવઠો
દુનિયાભરમાં સતત જનસંખ્યા વધી રહી છે. અત્યાર સુધી આખી દુનિયાની આબાદી 7 અરબ કરતા પણ વધી ગઈ છે. પરંતુ ધરતી પર સીમિત અન્ન જ પેદા થાય છે. હવે આ વચ્ચે વૈજ્ઞાનિકોએ ડરાવનાર ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે 27 વર્ષોમાં માણસો પાસે ભોજન સમાપ્ત થઇ જશે. વૈજ્ઞાનિકોએ એક ટાઇમ ફિક્સ કરી દીધો છે. તેમનું કહેવું છે કે 24 એપ્રિલ 2022થી માનવી પાસે માત્ર 27 વર્ષ 251 દિવસ માટેનું ભોજન રહેશે. વૈજ્ઞાનિકો અનુસાર, વર્ષ 2050ની શરૂઆત સુધી માનવી પાસે ખાવા માટે કંઈપણ નહીં રહે. આ સાથે જ તેમનું કહેવું છે કે ભોજન અને પાણીને લઈને જ હવેનું વિશ્વયુદ્ધ થશે.
સોશિયો બાયોલોજીસ્ટ એડવર્ડ વિલ્સનનું કહેવું છે કે ધરી જેવા બે ગ્રહોની જરૂર છે જે વર્તમાન જરૂરિયાતો પૂરી કરી શકે. તેમણે કહ્યું કે લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ધરતી પાસે સીમિત ક્ષમતા છે.
શાકાહારી બનવા માટે તૈયાર રાહે લોકો
એડવર્ડ વિલ્સને કહ્યું કે જો બધા શાકાહારી બની જાય છે, તો ધરતી પાસે એટલું અન્ન હશે જેથી દુનિયાના લોકોનું પેટ ભરાઈ શકે. તેમનું કહેવું છે કે મીટ પ્રાપ્ત કરવા માટે વધારે ભોજનની જરૂર પડે છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં દુનિયામાં જનસંખ્યા વધશે.
એડવર્ડ વિલ્સન જણાવે છે કે વર્ષ 2050 સુધીમાં દુનિયાની આબાદી લગભગ 10 અરબ થઇ જશે. તેમણે કહ્યુ કે સૌને ખાવા માટે 2017ની તુલનામાં 70 ટકા વધારે અન્ન જોઈએ છે. ધરતી વધારેમાં વધારે 10 અરબ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે.
માત્ર 27 વર્ષ 251 દિવસ ચાલે એટલું ભોજન રહેશે
વિશેષજ્ઞોનું કહેવું છે કે જનસંખ્યા વધવાની સાથે સાથે ભોજનની અછત પણ વધી રહી છે. તેમણે આ સમયે ભોજનની અછતનાં દરથી ધરતીની સીમાને લઈને રિસર્ચ કર્યું છે. આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે જેટલું 8 હજાર વર્ષોમાં ભોજન પેદા થયું છે, તેના કરતા વધારે ભોજનની જરૂર 40 વર્ષોમાં પડશે.
ડૉ વિલ્સન કહે છે કે કોઈ એવી સંભાવના નથી કે દરેક માણસ શાકાહારી બની જાય. તેઓ જણાવે છે કે લોકો દરરોજ વધારે ભોજન લઇ રહ્યા છે અને ભોજન વેસ્ટ પણ કરી રહ્યા છે. જો લોકો માંસ ખાવાનું બંધ કરી દે, તો દુનિયાને સરળતાથી ભોજન મળી શકે છે.
તેમનું કહેવું છે કે માંસ માટે વધારે ભીજન અને શક્તિનો વપરાશ થાય છે. ઉદાહરણ માટે તેઓ જણાવે છે કે મક્કાની સરખામણીમાં માંસ પ્રાપ્ત કરવામાં 75 ગણી વધારે શક્તિ લાગશે.
અન્ન અને પાણી માટે વિશ્વયુદ્ધ થઇ શકે તેવી સંભાવના
અન્ય વૈજ્ઞાનિકોએ પણ એડવર્ડની આ ચેતવણી સાથે સહેમતિ જતાવી છે. પ્રોફેસર જૂલિયન ક્રીબ જણાવે છે કે દુનિયાભરમાં ભોજનને લઈને આ મોટો સંકટ છે. તેમનું કહેવું છે કે આ સંકટમાંથી નીકળવા માટે અમારી પાસે કોઈ રસ્તો નથી. તેમણે ભવિષ્યમાં ભોજન અને પાણી માટે વિશ્વયુદ્ધની પણ સંભાવના જતાવી છે.