પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થાને લઈને જેટલો જરૂરી જીડીપી છે તેટલું જ જરૂરી સામાન્ય લોકો માટે હેપીનેસ પ્રોગ્રામ પણ છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ ગુરુવારે સાંજે એનડીએમસી કંવેન્શન સેન્ટરમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના પુસ્તકનું વિમોચન કરતાં આ વાત કહી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તેમની કેબિનેટ, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિધાયક હાજર રહ્યા હતા.
શિક્ષા નામના પુસ્તકના વખાણ કરતાં પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈ સિદ્ધાંત ન હોવાના કારણે આ પુસ્તક સારું છે. તેમાં એવી વાતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જેની પર હકીકતમાં કામ થઈ રહ્યું છે. આ પુસ્તક ફક્ત શિક્ષકો માટે જ નહીં પણ વિદ્યાર્થીઓ અને સામાન્ય માણસને માટે પણ ઉપયોગી છે. તેઓએ કહ્યું કે દેશને દિલ્હીથી ઘણી આશા છે.
આ અવસરે પૂર્વ રાષ્ટ્રપતિએ મનીષ સિસોદિયાની સાથે પોતાની પહેલી મુલાકાત અને સર્વોદય વિદ્યાલયમાં રાજનીતિના ક્લાસનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યારે મનીષ સિસોદિયાએ કહ્યું કે એક સપનું લઈને લગભગ સાડા ચાક વર્ષ સુધી તેઓએ સ્કૂલને સારી બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. આજે એક સારી ટીમની સાથે તેની પર કામ થઈ રહ્યું છે. આ બુકમાં શિક્ષાના ક્ષેત્રમાં કરવામાં આવેલા કાર્યોને બતાવ્યા છે. તેઓએ કેજરીવાલની કેબિનેટમાં રહીને આ પુસ્તકને લખવાનું મુશ્કેલ કામ કર્યું હતું. આ માટે સમય કાઢવો સરળ નથી.
મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન
મુખ્યમંત્રીએ અરવિંદ કેજરીવાલને ઉપ મુખ્યમંત્રીને અભિનંદન આપતાં કહ્યું કે આખી દુનિયા દિલ્હીમાં શિક્ષાના ક્ષેત્રમાં થયેલા સુધારને જોઈ રહી છે. આ પુસ્તક શિક્ષાના ક્ષેત્રમાં માઈલસ્ટોન સમાન સાબિત થશે.