અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલ કેસનો મામલો
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલનું મોટું નિવેદન
સરકારે સમાધાનના ભાગરૂપે થયેલી શરતનું પાલન નથી કર્યું
પાટીદાર આંદોલન દરમિયાન યુવાનો પર થયેલા કેસોને પાછા ખેંચવા રજૂઆત કરવામાં આવી છે.ઊંઝા ઉમિયાધામ સંસ્થાનના માનદ મંત્રી દિલીપ પટેલે કહ્યું કે, આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા માંગ કરવામાં આવી છે.સરકારને ઊંઝા ઉમિયાધામ સંસ્થાને પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી છે.જસદણ ખાતે નરેશ પટેલે પણ આજ વાત કરી હતી.હવે ઊંઝા ઉમિયાધામે પણ કેસો પાછા ખેંચવા માંગ કરી છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેને શું કહ્યું?
પાટીદાર અનામત આંદોલન ઉગ્ર બનતા ગુજરાતમાં વિકટ પરિસ્થિત સર્જાઈ હતી.જે બાદ સરકારે અનામત આંદોલનકારીઓ સામે અનેક કેસ કર્યા હતા.સામાજિક સંસ્થાઓના પ્રયાસો બાદ આંદોલનકારીઓએ આંદોલનકારીઓ સામે થયેલા કેસ પરત ખેંચવાની માગ સાથે આંદોલન સમેટી લીધુ હતુ. પરંતુ હજુ પણ રાજ્ય સરકાર દ્વારા અમુક આંદોલનકારીઓ સામે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. આથી અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલ કેસના મામલે ખોડલધામ, ઉમિયાધામ બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ મેદાને આવ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલે કહ્યું કે સરકારે સમાધાનના ભાગરૂપે થયેલી શરતનું પાલન નથી કર્યું,સમાધાનના ભાગરૂપે પોલીસ કેસ પરત ખેંચવાની શરત હતા, આ બાબતમાં સામાજિક સંસ્થાઓએ પ્રયાસ કર્યો હતો. માટે જે કેસ પરત ખેંચવાના બાકી છે તે કેસ પરત ખેંચવા જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી છે.આમ, પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓ હાલ એક જ રાગ આલાપી રહી છે કે અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલ કેસ પરત ખેંચાવા જોઈએ.
કેસ પર ખેંચવા કોની હાકલ
ખોડલધામ
ઉમિયાધામ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
પાટીદાર આગેવાનો
પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓ
20 તારીખે 1500 કરોડના ખર્ચે વિશાળ સંકુલનો પાયો નખાશે
અગાઉથી અમદાવાદના SG હાઇવે પર જમીન ખરીદેલી અને હાલ સંસ્થાએ આ જગ્યાનું ડેવલોપ કરવાનું નક્કી કર્યું છે. ભૂમિ પૂજનમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ, નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા હાજર રહશે. 74 હજાર વાર ચોરસ મીટર જમીનમાં 1500 કરોડના ખર્ચે પ્રોજેક્ટ બનશે. અમદાવાદ શહેરમાં સમાજના ઉત્કર્ષ હેતુથી ધાર્મિક-સામાજિક અને આરોગ્ય જેવા વિષયોને ધ્યાનમાં રાખી એક વિશાળ સંકુલ બને એવા દુરંદેશી વિચારથી સંસ્થાના પૂર્વ હોદેદારશ્રીઓએ સોલા, એસ.જી. હાઇવે અમદાવાદ ખાતે 74000 ચો.વાર જમીન ખરીદી હતી. એ જગ્યા ઉપર ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી-પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા-જુદા વિભાગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડના ખર્ચે તૈયાર થશે. ભૂમિપૂજનમાં ધાર્મિક સંતો મહંતો, રાજસ્વી મહેમાનો, દાતા શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ વિગેરેની ઉપસ્થિતિમાં ધામધૂમથી ભવ્યાતિભવ્ય રીતે ભૂમિપૂજન થશે. આ કાર્યક્રમ અમદાવાદના આંગણે સૌ પ્રથમવાર મા ઉમિયાનો સૌથી મોટો ધાર્મિકોત્સવ બનશે.