વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર કે.એલ. રાહુલ ફાઇનલમાંથી બહાર થઈ ગયો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ ભારતીય ટીમને ઝટકો
સ્ટાર ક્રિકેટર કે.એલ. રાહુલ ફાઇનલમાંથી બહાર
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final 2023) ની ફાઈનલ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં ટીમના સ્ટાર ક્રિકેટર કે.એલ. રાહુલ ફાઇનલમાંથી બહાર થઈ ગયો છે. જે મામલે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને માહિતી આપી છે. નોંધનીય છે કે કે.એલ. રાહુલ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન છે..જેના માર્ગદર્શન હેઠળ ટીમ આઇપીએલ 2023મા યશસ્વી પ્રદર્શન કરી રહી છે.
IPL 2023 મા લખનૌ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જોરદાર મુકાબલો યોજાયો હતો.જેમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલને ગંભીર ઈજા થવા પામી હતી. ત્યારબાદ તે IPLની સિઝનમાંથી પણ બહાર થઈ ગયો છે. આવી સ્થિતિ વચ્ચે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ નહિ રમી શકે. તે મામલે તેણે સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી દીધી છે. આ અંગે કે.એલ. રાહુલે instagram પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઇજા બાદ મેડિકલ ટીમે સર્જરી મામલે સલાહ આપી છે. જેના કારણે હવે થોડા સમય પૂરતો તે ક્રિકેટથી દૂર રહેશે અને સંપૂર્ણ ફિટ થયા બાદ તે ક્રિકેટના મેદાન પર વાપસી કરશે.
રાહુલે દુઃખ વ્યક્ત કર્યું
બીજી બાજુ ipl ના મેચને પણ અધવચ્ચેથી છોડવા મામલે રાહુલે દુઃખ વ્યક્ત કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે આ મુશ્કેલના સમયમાં ટીમનો સાથ છોડવો તે દુઃખદ બાબત છે પરંતુ સાથી ખેલાડીઓ ઉપર પૂરો ભરોસો છે અને તે મેદાનની બહાર રહી પોતાની ટીમના હસલાને બુલંદ કરશે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉન્નડકટ રહેશે.