દર વર્ષે 24 માર્ચના રોજ World Tuberculosis Day 2023 ઉજવવામાં આવે છે.
અન્ય કોઇ બીમારી હોય તેઓ માટે ટીબી વધુ ખતરનાક છે
ડાયાબિટીસના દર્દીઓ માટે 4 ગણો વધારે હોય છે ખતરો
સમયસર સારવાર ના મળે તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.
દર વર્ષે 24 માર્ચના રોજ World Tuberculosis Day 2023 ઉજવવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને ટીબી થયો છે તો તેની સારવાર 6 મહિના સુધી ચાલે છે. જે લોકો 6 મહિના સુધી સતત દવાઓ ખાય છે, તેઓ સંપૂર્ણ રીતે ઠીક પણ થઇ જાય છે. પરંતુ જો વચ્ચે દવાઓ છોડી દે તો તેમનામાં દવાઓ પ્રતિ રેસિસટેન્ટ ઉત્પન્ન થઇ જાય છે. એક સમયે ટીબી મહામારી બની હતી, જો કે આજે એનો 100 ટકા ઇલાજ છે. તેમ છતા આ બીમારી આજે પણ દુનિયાના લોકો માટે ચિંતાનો વિષય છે. ડોક્ટરોનું કહેવુ છે કે તે વ્યક્તિ માટે ટીબી વધારે ખતરનાક છે, જેઓ પહેલાથી જ કોઇ બીમારીથી પીડિત હોય છે. ડાયબિટીસના દર્દી માટે ટીબી વધારે જોખમી છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે 4 ગણો વધારે હોય છે ખતરો
જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેઓમાં ટીબી થવાનો ખતરો હેલ્દી લોકોની સરખામણીમાં 4 ગણો વધારે હોય છે. ત્યાં જ જે લોકો ટીબીથી સંક્રમિત થાય છે. જેમાં 30 ટકા સુધી ડાયાબિટીસ થવાની સંભાવના રહે છે. તેવામાં ડાયાબિટીસ અને ટીબીમાં પરસ્પર ક્નેક્શન બનેલુ હોય છે. બંનેની બીમારીઓથી પીડિત લોકોને સાવધાન રહેવાની જરુર છે.
આ છે ટીબીની સ્થિતિ
ટીબીનો 100 ટકા ઇલાજ છે પરંતુ હજી પણ વિશ્વ માટે એક ખતરો બન્યો છે આ રોગ. વર્ષમાં લગભગ એકથી બે મિલિયન લોકો આની લપેટમાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને ટીબી મુક્ત દેશ બનવાની કવાયત શરુ કરી દીધી છે.
ટીબીના લક્ષણ
અન્ય બીમારીઓની જેમ ટીબીના પણ લક્ષણ હોય છે. જેને યોગ્ય સમયે ઓળખવા જરુરી છે. જે લોકો ટીબીની લપેટમાં આવે છે તેમને થાક, કમજોરી, વજન ઓછુ થવુ, તાવ આવવો, છાતીમાં દુખાવો થવો, સતત ખાંસી આવવી, ખાંસીની સાથે લોહી આવવુ વગેરે સામેલ છે. સમયસર સારવાર ના મળે તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.