2012થી શરૂ થયેલી આ પરિયોજનામાં પ્રતિદિવસ લગભગ 750 શ્રમિકો કામ કરે છે. મૂર્તિના નિર્માણમાં 2500 ટનથી વધારે શુદ્ધ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉંચી ગુણવત્તાવાળા તાંબાથી પણ ચમકતા, શુદ્ઘ ઝિંકનો ઉપયોગ કરીને 110 ફૂટ ઉંચી બેઠકનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.
નિર્માણ કાર્ય પૂરુ થવા પર, 3 અલગ-અલગ ઓસરીઓ બનાવવામાં આવશે જે 20 ફૂટ, 110 ફૂટ અને 270 ફૂટ પર હશે. મૂર્તિની ચારેય તરફ 300 ફૂટ સુધી ફેલાયેલો સુંદર બગીચો બનાવવામાં આવશે.
#IncredibleIndia
India to soon get 351 Ft high world's tallest Shiva statue at Nathdwara, Rajasthan. Sitting in a meditation position the statue will we visible from 20 kms away and expected to be completed by year end.2019. Har Har Mahadev 🙏 #MondayMotivation#MondayMorningpic.twitter.com/70AfAiRgUe
ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું ઘર છે, સ્ટેચ્યૂ ઑફ ધ યૂનિટીની ઉંચાઇ 597 ફૂટ છે, જ્યારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં ચીનની સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ઘા છે, જેની ઉંચાઇ 420 ફૂટ છે. તો બીજી તરફ મ્યાંમારની ખટકાન તુંગના લેક્યુન સેક્કાયાની પ્રતિમાં ત્રીજી સૌથી મોટી છે, જેની ઉંચાઇ 380 ફૂટ છે.
જો દુનિયાની સૌથી ઉંચી શિવ મૂર્તિઓની વાત કરવામા આવે તો નેપાળના કૈલાશનાથ મંદિર (143 ફૂટ), કર્નાટકના મુરુદેશ્વર મંદિર (123 ફૂટ) અને તમિલનાડુમાં આદિયોગ મંદિર (112 ફૂટ) છે.
અરવલ્લીના પહાડોમાં વસેલુ નાથદ્વારા 17મી સદીમાં મેવાડના મહારાણા રાજ સિંહ દ્વારા નિર્મિત શ્રીનાથજીના મંદિર માટે પ્રસિદ્ઘ છે.