ટી-20 વર્લ્ડ કપમાં આખરે ભારતીય ટીમે જીતનો સ્વાદ ચાખી લીધો. અબુધાબીમાં બુધવારે રાત્રે અફઘાનિસ્તાનને 66 રનના મોટા અંતરથી હરાવ્યું. આ જીતની સાથે ભારતીય ટીમની આશા જીવંત રહી છે. આશા સેવાઈ રહી છે કે કોહલી એન્ડ કંપની હજી પણ સેમી ફાઈનલમાં પ્રવેશ કરી શકે છે.
ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 66 રનના મોટા અંતરથી હરાવ્યું
હજી આશા જીવંત, ભારતીય ટીમ કરી શકે છે સેમી ફાઈનલમાં પ્રવેશ
જો ભારતીય ટીમે સેમી ફાઈનલમાં જવુ હોય તો અપનાવી પડશે આ ફોર્મ્યુલા
પોઈન્ટ ટેબલની પોઝીશન
પરંતુ શું ખરેખર ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવી શકશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કારમી હાર મેળવ્યાં બાદ હવે નેટ રનરેટનું શું થશે. એવા ઘણાં યક્ષપ્રશ્નો છે, જેના જવાબ આગળ તપાસવાના પ્રયાસ કરવામાં આવશે. ગ્રુપ-2ની ટોપર પાકિસ્તાની ટીમ સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થઇ ગઇ છે. પોતાની બધી ચાર મેચ જીતી પાકિસ્તાન પાસે 8 પોઈન્ટ છે અને નેટ રનરેટ +1.065 છે. ચાર મેચમાં બે જીત અને એકમાં હાર મેળવ્યાં બાદ અફઘાનિસ્તાન બીજા ક્રમાંકે છે, જેની નેટ રનરેટ સૌથી ઓછી છે. ત્રણ મેચમાં બે જીત અને એકમાં હાર પ્રાપ્ત કર્યા બાદ ન્યૂઝીલેન્ડ ત્રીજા અને ભારત ચોથા ક્રમાંકે છે, જેની રનરેટ +0.073 છે.
ભારત સેમીફાઈનલમાં કેવીરીતે પહોંચશે?
ભારતીય ટીમે રાઉન્ડ ઓફ 12માં પોતાની આગામી બે મેચ નબળી ટીમો સામે રમવાની છે. અહીં પહેલી શરત લાગુ થાય છે અને તે છે મોટા અંતરથી જીત પ્રાપ્ત કરવી. 5 નવેમ્બરે સ્કોટલેન્ડની સામે ટક્કર થવાની છે. છેલ્લી મેચ નામીબિયા સામે રમાશે. ભારતીય ટીમની ઈચ્છા છે કે પોતાની બાકી મેચોમાં પ્રતિસ્પર્ધી ટીમને મોટા અંતરથી હરાવે. જેના કારણે નેટ રનરેટ સુધરી જાય. પછી આપણે એવી આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે.
ભારતની સૌથી મોટી આશા
જોકે, અફઘાનિસ્તાનને 66 રનથી હરાવી પોતાની પર એક અહેસાન કર્યુ. જેનાથી તેની નેટ રનરેટ -1.609 થી + 0.073 થઇ ગઇ છે. આ દરમ્યાન ભારતીય ટીમ માટે એક સારી વાત સામે આવી છે, જે ગ્રુપની અંતિમ મેચ ટીમે જ રમવાની છે. એવામાં ભારતીય ટીમને ખબર હોવી જોઈએ કે સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમે શું કરવાની જરૂર છે.
ભારતીય ટીમના ધુંઆધાર બેટ્સમેન
જો બીજી બાજુ ધ્યાન ફેરવીએ તો અફઘાનિસ્તાન સામેની મેચમાં એક સારી વાત એ સામે આવી છે કે ભારતીય ધુરંધરોની સરાહનીય મહેનત. રોહિત શર્મા (74) અને કેએલ રાહુલે (69) વર્લ્ડ ટી-20માં ભારતીય ટીમ માટે પ્રથમ વિકેટની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો. બંને ખેલાડીઓએ અર્ધસદી ફટકારી. ત્રીજા અને ચોથા નંબરે ઉતરેલા રિષભ પંત (27) અને હાર્દિક પંડ્યાએ (35) પણ ફોર્મમાં વાપસી કરી છે. આક્રમક ઈનિંગ રમીને ભારતીય ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાને 210 સુધી પહોંચાડી દીધો હતો.