શ્રીલંકા પોલીસે સીરિયલ બ્લાસ્ટથી જોડાયેલા સંદિગ્ધોની વિરુદ્ઘ સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે. શનિવારના સુરક્ષાબળોના બટ્ટીકલોઆમાં સીરિયલ બ્લાસ્ટની જવાબદારી લેનાર આતંકી સંગઠન આઇએસ અને નેશનલ તૌહિથ જમાત (NTJ) સાથે જોડાયેલા ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ કર્યુ. એક આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો છે. તેમાં 15 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 6 બાળકો અને 3 મહિલાઓ સામેલ છે.
શ્રીલંકા પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ કે ,ઘટનાસ્થળથી 15 શબ મળ્યા છે. જેમાં 4 સંદિગ્ધ આત્મધાતી હુમલાખોરો પણ શામેલ છે. આ ઉપરાંત 3 અન્ય લોકો ઘાયલ થયા છે. શ્રીલંકાના સમ્મનથુરાઇ શહેરમાં પણ સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ, જેમાં બે આતંકીઓના મોત થયા, આ ઘટનામાં એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું છે.
આંતકી ઠેકાણા પર પોલીસને મળ્યા ઝંડા અને ડ્રોન:
બટ્ટીકલોઆના એક ઠેકાણા પર છાપેમારી દરમિયાન પોલીસને ઇસ્લામિક સ્ટેટના ઝંડા, મિલિટ્રીનો પોશાષ, સુસાઇડ જેકેટ, વિસ્ફોટકોનો મોટો જથ્થો, એક ડ્રોન અને ઇસ્લામિક સ્ટેટના લોગોવાળું એક બેનર જપ્ત કર્યુ છે.
આંતકીઓની શોધમાં જોડાયા 10000 વધુ સૈનિકો:
શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ પછી લગભગ 10000 સૈનિકોએ આતંકી ઠેકાણાઓ પર છાપામારી કરવામાં લાગી ગયા છે. અત્યાર સુધી 100 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાની નાગરિકોનો એક સમૂહ પણ શામેલ છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાા સિરિસેનાએ શુક્રવારે કહ્યુ કે, ''ઇસ્લામિક સ્ટેટથી જોડાયેલા 140 સંદિગ્ધોની શોધ કરવામાં આવી રહી છે.''
ઇસ્ટર સન્ડેના રોજ સીરિયલ બ્લાસ્ટ:
ઉલ્લેખનીય છે કે, 21 એપ્રિલના શ્રીલંકામાં થયેલા 8 વિસ્ફોટકોમાં 253થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં 10 ભારતીયો સહિત 39 વિદેશી નાગરિકો શામેલ હતા અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ISISએ લીધી છે.