નર્મદાઃ મહામાનવ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની રહી છે ત્યારે તેનું 90 ટકા કામ પૂર્ણ થયું છે. પ્રતિમાના ખભા સુધીનું કામ પૂર્ણ થયું છે અને વર્કશોપમાં મુખના ભાગનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે વીટીવી આપને તેના એક્સલુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે.
આ મુખ 4 ભાગમાં બનાવામાં આવી રહ્યું છે. હાલ બે ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. 182 મીટરની પ્રતિમાંમાં 70 ફૂટ મોટું મુખ બની રહ્યું છે અને બે આંખો 10-10 ફૂ ની છે જેમાં ગેલેરી બનશે અને સરદારની આંખ માંથી નર્મદા ડેમ નિહાળી શકાશે. હાલ સ્ટેચ્યુની આજુ બાજુ બ્રિજના કામો પણ ચાલી રહ્યા છે.
ગુજરાતના નર્મદા ડેમ પર કેવડિયાના સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે. 31 ડિસેમ્બર 2014થી આ સ્ટેચ્યુનું કામ શરૂ થયું હતું. ત્યારે આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે. મહત્વનું છે કે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ હોવાથી પીએમ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે.
મહત્વનું છે કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મધ્યપ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ આ પ્રતિમાને મેડ ઇન ચાઇના ગણાવી હતી. જેને લઇ રાજકીય ઘમાસાણ સર્જાયું છે. ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલ પીએમ મોદીએ કહ્યું કે વિશ્વનું સૌથી ઉચુ સરદાર પટેલનું સ્મારક ગુજરાતની ધરતી પર આકાર પામ્યું. મર્યાદીત વિચારધારા વાળા લોકોને મૂર્તિમાં પણ ચૂંટણી દેખાય છે.