ફરીદાબાદઃ દુનિયાની પ્રથમ દિવ્યાંગ મહીલા અરૂણિમા સિંહાએ એવરેસ્ટ પર ઝંડો લહેરાવીને દેશ અને ફરીદાબાદનું નામ રોશન કર્યું છે. અરૂણિમાનું કહેવું છે કે વિકલાંગતા શરીરમાં નથી હોતી પરંતુ મગજથી હોય છે.
તેઓએ કહ્યું કે હવે તે એટલાંટિકામાં જઇને ત્રિરંગો લહેરાવશે કે જેનાં માટે તેઓને પીએમ મોદીએ પણ આશીર્વાદ આપ્યાં છે. તેઓ ગત દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં બાદ સીધાં જ વલ્લભગઢનાં તહસીલમાં પોતાનાં ખાનગી કામ માટે પહોંચી હતી.
જ્યાં તેમને પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે 2011માં કેટલાંક બદમાશોએ સોનાની ચેન લૂંટવા માટે તેઓને ટ્રેનમાંથી ઉંચકીને ટ્રેક પર ફેંકી દેવાઇ હતી. જે દુર્ઘટનામાં તેઓનો એક પગ ચાલ્યો ગયો પરંતુ એક પગ હોવાં છતાં પણ તેઓએ પોતાની જાતને વિકલાંગ ના થવા દીધી. પોતાનાં મગજમાં અને મનને પણ નબળું ના થવા દીધું કે જેનું પરિણામ છે કે આજે તેઓએ દુનિયાભરમાં ભારત અને હરિયાણા ફરીદીબાદનું નામ રોશન કર્યું છે.
અરૂણિમા સિંહાએ જણાવ્યું કે 13 ડિસેમ્બરનાં રોજ તેઓની ફ્લાઇટ છે અને તેઓ અમેરિકાથી તે ક્ષેત્રમાં જઇ રહેલ છે. જ્યાં 6 માસ દિવસ અને 6 માસ રાત્રી હોય છે અને જ્યાં જઇને પણ તે પોતાનો ત્રિરંગો લહેરાવશે. દુનિયાભરનાં વિકલાંગો માટે મિસાલ બનેલ અરૂણિમા સિંહાએ હોસ્પિટલનાં બેડ ઉપર સારવાર દરમ્યાન જ પોતાની જાતને એવરેસ્ટ પર ઝંડો લહેરાવવા તૈયાર કરી લીધી.
વર્ષ 2014માં તેઓને પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં અને અરૂણિમાને વર્ષ 2016માં તેનજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ પણ આપવામાં આવ્યો. આ પુરસ્કારને ભારતમાં આપનારા અર્જુન પુરસ્કાર સમાન માનવામાં આવે છે કે જે ખેલનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરનારાને દેવામાં આવે છે.