બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / મહિલાઓને કેમ નથી બનાવવામાં આવતા પોપ? શું છે કેથોલિક ચર્ચના નિયમો અને પરંપરાઓ, જાણો

વિશ્વ / મહિલાઓને કેમ નથી બનાવવામાં આવતા પોપ? શું છે કેથોલિક ચર્ચના નિયમો અને પરંપરાઓ, જાણો

Last Updated: 10:19 AM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Female Pope : ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસના નિધન બાદ હવે નવા પોપની પસંદગી શરૂ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે, પોપ હંમેશા પુરુષ જ કેમ હોય છે? છેવટે મહિલાઓને પોપ કેમ નથી બનાવવામાં આવતા?

Female Pope : પોપ ફ્રાન્સિસ આ શબ્દ, આ નામ અને આ પદથી તમે બધા વાકેફ જ હશો. ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને આજે એટલે કે 26 એપ્રિલે વેટિકન સિટીમાં અંતિમ વિદાય આપવામાં આવશે. પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલે અવસાન થયું હતું. પોપ ફ્રાન્સિસે રોમના સાન્ટા મારિયા બેસિલિકામાં દફનાવવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી જે 1903 પછી પહેલી વાર વેટિકનની બહાર હશે. તેમના નિધનને લઈ વિશ્વભરમાં સ્મૃતિ પ્રાર્થનાઓ યોજાઈ રહી છે.

કઈ રીતે થાય છે નવા પોપની પસંદગીની પ્રક્રિયા

પોપ ફ્રાન્સિસના અવસાન પછી વેટિકનમાં નવા પોપની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ ચૂંટણી ફક્ત વેટિકનના સિસ્ટાઇન ચેપલમાં એક બંધ રૂમમાં થાય છે જેને કોન્ક્લેવ કહેવામાં આવે છે. આમાં વિશ્વભરના કાર્ડિનલ્સ ભેગા થાય છે અને ગુપ્ત મતદાન દ્વારા નવા પોપની પસંદગી કરે છે.

નવા પોપની રેસમાં કયું નામ સૌથી આગળ

આ વખતે જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં કાર્ડિનલ લુઈસ એન્ટોનિયો તાગલે, પીઇટ્રો પારોલિન, પીટર તુર્ક્સન, પીટર એર્ડો અને એન્જેલો સ્કોલાનો સમાવેશ થાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, પોપ હંમેશા પુરુષ જ કેમ હોય છે? છેવટે મહિલાઓને પોપ કેમ નથી બનાવવામાં આવતા?

મહિલાઓ પોપ કેમ ન બની શકે?

કેથોલિક ચર્ચના નિયમો અનુસાર ફક્ત બૈપટાઇઝ્ડ અપરિણીત પુરુષ જ પોપ બની શકે છે. આમાં પણ એ જરૂરી શરત છે કે, વ્યક્તિ ચર્ચમાં પાદરી, બિશપ અથવા કાર્ડિનલ જેવા ઉચ્ચ પદ પર હોવી જોઈએ. જ્યારે ચર્ચ પરંપરામાં મહિલાઓને પાદરી બનવાની મંજૂરી નથી. આ જ કારણ છે કે, સ્ત્રીઓ બૈપટાઇઝ્ડ અને અપરિણીત હોવા છતાં પોપ બની શકતી નથી. જોકે પોપ ફ્રાન્સિસે મહિલાઓને ચર્ચમાં વક્તા તરીકે સેવા આપવાની મંજૂરી આપી.

વધુ વાંચો : પોપ ફ્રાન્સિસ વિશેની 10 જાણી-અજાણી વાતો, જાણો જીવન સાથે જોડાયેલા રોચક તથ્ય

પુરુષોને પોપ બનાવવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ?

કેથોલિક માન્યતાઓ અનુસાર, ફક્ત બૈપટાઇઝ્ડ અપરિણીત પુરુષને જ ચર્ચમાં પવિત્ર સેવાઓ કરવાનો અથવા પાદરી બનવાનો અધિકાર છે. ચર્ચ માને છે કે, ઈસુ ખ્રિસ્તે ફક્ત પુરુષોને જ તેમના શિષ્યો તરીકે પસંદ કર્યા હતા. અને આ પરંપરા આજ સુધી ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pope Francis Catholic Church female pope
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ