વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની દુનિયાભરમાં ઉજવણી થઇ રહી છે. દુનિયાભરની નામાંકિત હસ્તિઓ આ અવસરે પત્રકારોને ધન્યવાદ પાઠવી રહ્યા છે. વૈશ્વિક સંગઠન યૂનેસ્કોએ ટ્વીટ કરી લખ્યું- પત્રકારત્વ કોઇ અપરાધ નથી. સુરક્ષિત પત્રકારત્વ વિના સુરક્ષિત માહિતી ન મળી શકે.
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની દુનિયાભરમાં ઉજવણી થઇ રહી છે. દુનિયાભરની નામાંકિત હસ્તિઓ આ અવસરે પત્રકારોને ધન્યવાદ પાઠવી રહ્યા છે. વૈશ્વિક સંગઠન યૂનેસ્કોએ ટ્વીટ કરી લખ્યું- પત્રકારત્વ કોઇ અપરાધ નથી. સુરક્ષિત પત્રકારત્વ વિના સુરક્ષિત માહિતી ન મળી શકે. માહિતી વિનાની કોઇ આઝાદી હોતી નથી. આજે અને હમેંશા પ્રેસની આઝાદી માટે અવાજ ઉઠાવતા રહો.
ભારતમાં પત્રકારત્વને લોકતંત્રનો ચોથો સ્તંભ માનવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણા દેશમાં પત્રકારોની સ્થિતિ ગત કેટલાક વર્ષોમાં મુશ્કેલીભરી બની છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષની 180 મજબૂત દેશોની સૂચીમાં ભારત સરકીને 136માં નંબર આવી ગયું છે. આ પહેલા ભારત 133માં સ્થાને હતું. આ સૂચીમાં પહેલા નંબર પર નોર્વ છે, જ્યારે દક્ષિણ કોરિયા સૌથી નીચે. આખી દુનિયામાં કુલ મળીને 193 પત્રકાર જેલમાં છે.
ભારતના ગત 7 વર્ષના આંકડા પર નજર નાંખીએ તો પરિસ્થિતિ ચિંતાજનક છે. વર્ષ 2012માં 74, 2013માં 73, 2014માં 61, 2015માં 73, 2016માં 48, 2017માં 46 અને વર્ષ 2018માં અત્યાર સુધીમાં 14 પત્રકારોએ પોતાના કાર્ય દરમિયાન જીવ ગુમાવ્યો છે. એટલે કે 7 વર્ષમાં 389 પત્રકારોએ માત્ર ભારતમાં જીવ ગુમાવ્યો છે.
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 21 દેશોને કાળા રંગમાં દર્શાવવામાં આવ્યા છે. જેનો સીધો અર્થ એ થાય કે આ દેશોમાં પ્રેસની આઝાદી ખુબજ ખરાબ છે. જ્યારે 51 દેશોને ખરાબ સ્થિતિવાળી સૂચીમાં રાખવામાં આવ્યા છે.
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસએ પત્રકારોને પ્રેસ ફ્રીડમની શુભેચ્છા પાઠવતા લખ્યું- આજે ભારતીય પત્રકારો માટે કઠીન સમય છે. ઇમાનદાર અને સંતુલિત અવાજને જુ્ઠ્ઠાણા હેઠળ દબાવી દેવાય છે. એ ખુબજ જરૂરી છે કે આપણા લોકતંત્રના ચોથા સ્તંભને મજબૂત બનાવવામાં આવે તથા એને વધુ નિડર બનાવવા યોગદાન આપવામાં આવે.
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારોને સૂચનાનું મહત્વપૂર્ણ માધ્યમ ગણાવ્યા. એમણે લખ્યું- મુક્ત અને ઇમાનદાર પ્રેસ લોકતંત્રનો ઢાંચો છે. પ્રેસ હંમેશાથી દુનિયાભરમાં સૂચના, ટીકા અને સંચારનું એક મહત્વપૂર્ણ માધ્યમ રહ્યું છે. તેથી પ્રેસની સ્વતંત્રતા આવશ્યક છે.