પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે માન્યુ કે, તેમના કાર્યકાળમાં સરકારના કહેવા પર આંતકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર ભારતમાં ઘણા બોમ્બ વિસ્ટોફ કરાવતો. પાકિસ્તાનના એક પત્રકારને ફોનમાં ઇન્ટરવ્યૂ આપતા સમયે કહ્યુ કે, ''જૈશ વિરુદ્ઘ કરવામાં આવેલી કાર્યવાહી યોગ્ય છે. આ સંગઠને તેમની હત્યા કરવાની યોજના બનાવી હતી.''
મુશર્રફે આગળ કહ્યુ કે,'' હું હંમેશાથી જૈશને આતંકી સંગઠન કહુ છું. તેઓએ મારા પર ફિદાયીન હુમલો કરાવ્યો, તેના પર કાર્યવાહી થવી જોઇએ. મને ખુશી છે કે, સરકાર આ સંગઠન વિરૂદ્ધ કડકાઇથી વર્તી રહી છે. આ કાર્યવાહી બહુ પહેલાં થઇ જવી જોઇતી હતી. ડિસેમ્બર 2003માં પાકિસ્તાનના ઝંડા ચીચીમાં મુશર્રફના કાફલા પર જૈશે ફિદાયીન હુમલો કરાવ્યો હતો, જેમાં તેઓ માંડ-માંડ બચ્યા હતા. તે સમયે જ પરવેઝે જૈશ પર પ્રતિબંધ લગાવવાના બે વખત પ્રયત્નો કર્યા હતા.''
મુશર્રફે જ્યારે પૂછવામાં આવ્યુ કે, સત્તામાં રહેતા જૈશ પર કાર્યવાહી કેમ કરવામાં ના આવી?તો તમે દેશમાં સૌથી પાવરફૂલ હતા. તેના જવાબમાં મુશર્રફે કહ્યુ કે, ''તે સમયની સ્થિતિ અલગ હતી. ત્યારે જૈશમાં અમારા ઇન્ટેલિજન્સ વાળા શામેલ હતા, તે સમયે ભારત પાકિસ્તાન વચ્ચે જેવા સાથે તેવાનું વલણ અપનાવવામાં આવ્યુ હતુ. તેઓ પાકિસ્તાનમાં વિસ્ફોટ કરાવતા હતા અમે ભારતમાં કરાવતા હતા.''
મુશર્રફે તખ્તાપલટ બાદ 1999માં સત્તા મેળવી હતી. તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને બેદખલ કરીને તેઓ પાકિસ્તાનના પ્રેસિડન્ટ બન્યા હતા. જો કે, 9 વર્ષ બાદ પણ તેઓએ સત્તા ગુમાવવી પડી હતી. દેશનિકાલ બાદ હાલ તેઓ UAEમાં રહે છે.
પુલવામા હુમલામાં જૈશ આરોપી મસૂદ અઝહરની આગેવાનીવાળા જૈશે ભારતમાં અનેક આતંકી હુમલા કરાવ્યા હતા. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલાને આ જ આતંકી સંગઠને અંજામ આપ્યા હતો, જેમાં CRPFના 40 જવાન શહીદ થઇ ગયા હતા.