પાટદારીઓની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ મદદ માટે આગળ આવી
વિશ્વ ઉમિયા ધામ તરફથી મળી મદદ
અમેરિકાથી 335 ઓક્સિજન કંસેન્ટ્રેટર આવ્યા
અલગ-અલગ સંસ્થાઓને નિ:શુલ્ક અપાશે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી ગુજરાતને સહાય કરવામાં આવી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમેરિકા તરફથી 335 ઓક્સિજન કંસેન્ટ્રેટર અમદાવાદ મોકલવામાં આવ્યા છે, કોરોનાની વિકટ પરિસ્થિતિ સર્જાતા કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની અછત સર્જાઈ હતી જેને પગલે વિશ્વ તરફથી ઓક્સિજન સિલેન્ડર અને ઓક્સિજન ભારત પહોંચાડવામાં આવી રહ્યા છે તે જોતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ મદદ માટે આગળ આવ્યું છે. પાટદારીઓની વૈશ્વિક ગણાતી આ સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ઓક્સિજનના 335 જેટલા કંસેન્ટ્રેટર અમદાવાદના જાસપુર મોકલવામાં આવ્યા છે.
વિશ્વ ઉમિયા ધામ તરફથી મળી મદદ
વૈશ્વિક સામાજિક એમ્પાવરમેન્ટ હબ ગણાતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક વૈશ્વિક મજબૂત સંસ્થા છે. જે એક સામાજિક, સેવાભાવી અને માનવતાવાદી સંસ્થા તરીકે ઓળખાય છે. આ સંસ્થા દ્વારા અનેક વિધ સેવા અને સામાજિક કાર્યો કરવામાં આવે છે. અમેરિકા તરફથી મોકલવામાં આવેલા 335 કંસેન્ટ્રેટરને વિવિધ જિલ્લાઓમાં, સંસ્થાઓમાં અને હોસ્પિટલોમાં નિ:શુલ્ક મોકલવામાં આવશે. ઓક્સિજન કંસેન્ટ્રેટર પૂજાવિધિ બાદ ગુજરાતમાં ઓક્સિજન જરૂરિયાત હોસ્પિટલો અને સંસ્થાનોને મોકલવામાં આવનાર છે.