રાજાશાહી વખતમાં નિમાણ પામેલું જામનગરનું સોલેરિયમ લાંબા સમયથી બંધ હાલતમાં છે જોકે, ક્ષયના દર્દીઓને કુદરતી ઉપચાર કરાવતા સોલેરિયમને હેરીટેજની યાદીમાં સમાવી લેવામાં આવ્યું છે ત્યારે વિશ્વમાં એક માત્ર હયાત સોલેરિયમનો કબજો મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા આ સોલેરિયમને નવા વાઘા પહેરાવી. એક પ્રવાસસન સ્થળ તરીકે વિકસાવી સોલેરિયમના જાજરમાન ઈતિહાસને પુનઃ જીવંત કરવા તૈયારી કરી રહ્યું છે.
પ્રજાવત્સલ રાજવીની એ હતી ભેટ
આ છે ક્ષય ચિકિત્સાનું સોલેરિયમ
સૂર્યપ્રકાશથી થતી હતી સારવાર
જામ રાજવી રણજીતસિંહના સમયમાં જામનગરમાં સોલેરિયમની સ્થાપના કરવામાં આવી હતી. ભૂતકાળમાં ક્ષયના દર્દીઓ માટે આ સોલેરિયમ આશાનું કિરણ બની રહ્યું હતું. એક માત્ર જામનગર જ નહી પણ અન્ય રજવાડા પ્રાંતના દર્દીઓ અહી સારવાર લેવા આવતા હતા.
સોલેરિયમ અનેક દર્દીઓને આપી ચૂક્યું છે જીવનદાન
કુદરતી ઉપચાર કરતું આ સોલેરિયમ ભૂતકાળમાં અનેક દર્દીઓને નવી જીંદગી આપી ચૂક્યું છે. સમગ્ર હાલાર પ્રાંત માટે એક સમયે આશાનું કિરણ બની ગયેલ આ સોલેરિયમ દાયકાઓથી કંડમ હાલતમાં છે અને લાંબા સમયથી પડતર રહેતા મોટાભાગનો હિસ્સો જર્જરિત થયો છે. હાલ આ સોલેરિયમ એક જર્જરિત ઈમારત તરીકે ઊભું છે.
રાજ પરિવારે નગરજનોને આપી હતી ભેટ
જોકે, આ જર્જરિત સોલેરિયમનો ભવ્ય ભૂતકાળ જાણવા જેવો છે. જામનગર જે તે સમયે નવાનગર તરીકે ઓળખાતું હતું. એ સમયે જામનગરના રાજવી પરિવારે જામનગરને સોલેરિયમની ભેટ આપી હતી. કેમ કે, તે સમયે તબીબી સેવાઓની મર્યાદા વચ્ચે ક્ષયની બીમારીએ હાહાકાર મચાવ્યો હતો. આ મહામારીમાંથી નાગરિકોને ઉગારી લેવા માટે જામ રાજવી પરિવારે પ્રજાલક્ષી નિર્ણય કર્યો હતો. વિદેશથી મશીનરી અને નિષ્ણાતો બોલાવી સોલેરિયમની સથાપના કરી હતી.
સારવાર પદ્ધતિનો વ્યાપ ધીરે ધીરે લુપ્ત થયો
ટીબીના અનેક દર્દીઓને અહીં નવી જિંદગી મળતી હતી. પરંતુ દેશ આઝાદ થાય બાદ મેડીકલ સાયન્સને નવી દિશા મળી છે આથી આ સારવાર પદ્ધતિનો વ્યાપ ધીરે ધીરે લુપ્ત થઈ ગયો છે. હાલ રાજ્ય સરકાર હસ્તક રહેલ જામનગરના આ સોલેરિયમને જામનગર મહાનગર પાલિકાને સોંપવાનો નિર્ણય થયો છે. સોલેરિયમને પોતાના હસ્તક લેવાની જામનગર મહાનગર પાલિકાને મંજૂરી પણ મળી ગઈ છે.
કેવી રીતે કરવામાં આવતી સારવાર ?
ભૂતકાળના ભવ્ય ગૌરવની સાબિતી પુરતી સોલેરિયમની આ બ્લેક એન્ડ વ્હાટ તસવીરો એ ભવ્ય ભૂતકાળને અને પ્રજાપ્રેમી શાસકોની યાદો તાજી કરાવી રહી છે. આ સોલેરિયમે ટીબીના અનેક દર્દીઓને નવી જિંદગી આપી છે. અહી કુદરતી પદ્ધતિથી સારવાર કરવામાં આવતી. ચારેય બાજુથી બંધ સોલેરિયમમાં પડતા સૂર્યના કિરણોને ત્રણ અરીશા વડે જીલવામાં આવતા. ત્રણ અરીશામાંથી પસાર થયેલ સૂર્ય પ્રકાસ દર્દીના સરીર પર ફેકવામાં આવતો.
વિશ્વમાં માત્ર 3 સોલેરિયમ તૈયાર
આ સૂર્યના કિરણો દ્વારા જ ટીબીના દર્દીને સારવાર આપવામાં આવતી હતી. આ માટે વિશિષ્ટ પ્રકારના અરીસા બનાવવામાં આવતા હતા. વિશ્વના ત્રણ પૈકી એક માત્ર જામનગરમાં સોલેરિયમનું સ્ટ્રક્ટર હયાત છે. ત્યારે હવે સોલેરિયમને તંત્ર દ્વારા પ્રવાસન તરીકે વિકસાવાના નિર્ણયને શહેરના બુદ્ધિજીવી વર્ગે બિરદાવ્યો છે..
સરકારના આ નિર્ણયથી વિશ્વમાં એક માત્ર હયાત સોલેરિયમ સ્ટ્ર~ચર હવે મહાનગર પાલિકા હસ્તક આવી જશે. મહાનગરપાલિકા આ ઈમારતને નવા વાઘા પહેરાવી નવી કલ્પના પ્રમાણેના પ્રવાસનસ્થળ તરીકે વિકસાવશે જેનાથી ફરીવાર જામનગરને નવી ઓળખ મળશે તે ચોક્કસ છે.