બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:59 AM, 22 April 2025
Baba Venga First Prediction : બાબા વેંગા કે પછી બાબા વેંગાની ભવિષ્યવાણી આ શબ્દ તમે અનેકવાર સમાચારોમાં કે પછી સોશિયલ મીડિયામાં સાંભળ્યો જ હશે. બાબા વાંગા વિશે ઘણીવાર એવી ચર્ચા થતી રહી છે કે, તેમણે આ વિશે એક ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી. જોકે તેમની ઘણી આગાહીઓ સાચી પણ પડી. બાબા વાંગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા હતું અને એક મહિલા હોવા ઉપરાંત તે બાળપણથી જ અંધ હતા. તેમના જીવનનો મોટાભાગનો સમય બલ્ગેરિયાના બેલાસિકા પર્વતોના રુપીટ પ્રદેશમાં વિતાવ્યો.
ADVERTISEMENT
બાબા વેંગાનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ થયો હતો અને તેમનું અવસાન 11 ઓગસ્ટ 1996ના રોજ થયું હતું. બાબા વેંગાના પિતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બલ્ગેરિયન આર્મીમાં ભરતી થયા હતા અને તેમની માતાનું પણ વહેલું અવસાન થયું હતું. તેથી તેમનો મોટાભાગનો સમય પડોશીઓ અને નજીકના મિત્રો વચ્ચે વિતાવતો હતો. આ બધુ તો તમે જાણી લીધું પણ શું તમે જાણો છો કે, આ બાબા વેંગાએ સૌથી પહેલી કૈ આગાહી કરી હતી ?
ADVERTISEMENT
આ હતી બાબા વેંગાની પહેલી ભવિષ્યવાણી
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બાબા વેંગા લોકપ્રિય બન્યા. એવું માનવામાં આવે છે કે, તેમણે બીજા વિશ્વયુદ્ધ અંગે પોતાની પહેલી આગાહી કરી હતી. જે સાચું સાબિત થયું. આ પછી તેમણે સોવિયેત યુનિયન, ચેકોસ્લોવાકિયા અને યુગોસ્લાવિયાના વિઘટન વિશે વાત કરી જે સાચી સાબિત થઈ. આ ઉપરાંત તેમની ભવિષ્યવાણીઓ જે સાચી પડી છે તેમાં ચેર્નોબિલ દુર્ઘટના, સ્ટાલિનના મૃત્યુની તારીખ, ઝાર બોરિસ ત્રીજાનું મૃત્યુ, રશિયન સબમરીન કુર્સ્કનું ડૂબવું, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, 1985માં ઉત્તરી બલ્ગેરિયામાં આવેલો ભૂકંપ, અમેરિકામાં 11 સપ્ટેમ્બરના હુમલા અને 2004ની સુનામીનો સમાવેશ થાય છે.
હવે જાણો વર્ષ 2025 માટે શું કરી છે આગાહીઓ
આ ઉપરાંત બાબા વેંગાએ ભવિષ્ય માટે એવી આગાહીઓ પણ કરી છે જે ડરામણી છે. બાબા વેંગા એ કહ્યું છે કે, દુનિયાનો અંત વર્ષ 2025 થી શરૂ થશે. તેમણે એમ પણ કહ્યું છે કે, 5079 સુધી માનવતા સંપૂર્ણપણે નાશ પામશે નહીં. તેમણે એવી પણ આગાહી કરી હતી કે, 2025માં યુરોપમાં એક મોટો સંઘર્ષ ફાટી નીકળશે જેના કારણે યુરોપની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ પણ વાંચો : આ વર્ષે સાચી પડી બાબા વેંગાની આ ભવિષ્યવાણી, ભારત માટે છેલ્લી ભવિષ્યવાણી ખતરનાક
બાબા વાંગાની કેટલીક આગાહીઓ ડરામણી છે. તેમનું કહેવું છે કે, 2043 સુધીમાં યુરોપ પર મુસ્લિમોનું શાસન હશે. આ ઉપરાંત વર્ષ 2076 સુધીમાં સમગ્ર વિશ્વમાં સામ્યવાદીઓ ફરી એકવાર સત્તામાં પાછા ફરશે. બાબા વાંગાએ એમ પણ કહ્યું છે કે, 5079 એક કુદરતી ઘટના બનશે જેના કારણે દુનિયાનો અંત આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.