કોરોના મહામારીનું સંકટ આખી દુનિયામાં છવાયું છે ત્યારે તેને નાથવા માટેની વેક્સીનની શોધ અનેક કંપનીઓ કરી રહી છે. પરંતુ આ વેક્સીન ક્યાં સુધીમાં આવશે તેને લઈને હજુ પણ કોઈ ઠોસ માહિતી મળી નથી. રશિયા અને ચીન જેવા દેશોમાં આ વેક્સીનનું ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ સમયે WHOએ કોરોના વેક્સીનને લઈને ચિંતાજનક નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે વેક્સીન ક્યાં સુધીમાં આવશે તેની રાહ જોવાની છે અને સાથે જ આ વેક્સીન 50 ટકા પણ અસરકારક હશે નહીં.
WHOએ કોરોના વેક્સીનને લઈને જાહેર કરી ચિંતા
2022 પહેલાં પૂરતા પ્રમાણમાં વેક્સીન નહીં મળે
વેક્સીનની અસરકારકતાને લઈને પણ થયા છે પ્રશ્નો
મળતી માહિતી અનુસાર એક રિપોર્ટમાં કહેવાયું છે કે WHOની મુખ્ય વૈજ્ઞાનિકે વેક્સીનને લઈને કહ્યું કે 2022 પહેલાં પૂરતા પ્રમાણમાં વેક્સીન મળવી મુશ્કેલ છે. એવામાં લોકોના માથે ફરી સંકટ ઘેરાઈ શકે છે. પ્રશ્ન એ છે કે લોકો ક્યાં સુધી મહામારીના ડર હેઠળ જીવવા મજબૂર રહેશે.
2021 સુધી 2 અરબ ડોઝનું લક્ષ્ય
વૈજ્ઞાનિકોએ કહ્યું કે આવનારા વર્ષની શરૂઆતમાં દુનિયાને વેક્સીન મળી નથી શકી. આનું કારણ એ છે કે 2021ની શરૂઆતમાં વેક્સીનના પ્રભાવી રીઝલ્ટને જોવા મળી શકે છે. આ સાથે જ તેના વિતરણ વિષે પણ કોઈ નિર્ણય લઈ શકાશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું કે આશા રાખી શકાય છે કે WHOના કોવાક્સ પ્લાનના આધારે અલગ અલગ દેશોમાં લોકો સુધી સમાન રૂપે વેક્સીન પહોંચાડવાનું કામ કરી શકાશે. જો કે તેને માટે આ વર્ષના મધ્ય સુદી વેક્સીન મોટા પ્રમાણમાં તૈયાર કરવાની રહેશે. જેથી કરોડો લોકો સુધી આ ડોઝ પહોંચાડી શકાય. તેના આધારે 2021ના અંત સુધી વેક્સીનના 2 અરબ ડોઝ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રખાયું છે.
વેક્સીન 50 ટકા પણ અસરકારક નહીં
ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પહેલાં કહી ચૂક્યું છે કે તેના માનદંડના આધારે ક્લિનિકલ પરીક્ષણના એડવાન્સ સ્ટેજ પર પહોંચીને કોઈ પણ વેક્સીન કોરોના વાયરસના વિરુદ્ધમાં 50 ટકા પણ અસરકારક નથી. જ્યારે સંગઠનના પ્રવક્તા માર્ગરેટ હૈરિસના આધારે હજુ સુધી એક પણ વેક્સીન એવી નથી બની જે પ્રભાવી હોય.
ગાઈડલાઈન જાહેર કરાશે
તેમનું કહેવું છે કે આ વેક્સીનના ટ્રાયલમાં ઓછામાં ઓછા એક વર્ષનો સમય લાગશે. આ સમયે વેક્સીનના લોકો પર પ્રભાવ અને તેના દુષ્પ્રભાવને જોવાશે. જેથી લોકો સુધી યોગ્ય વેક્સીન પહોંચી શકે,જે મહામારીમાં લોકોને બચાવી શકે. તેઓએ કહ્યું છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્ગર એડમિનિસ્ટ્રેશનની તરફથી જલ્દી વેક્સીનના આપાતકાલીન ઉપયોગ માટે ગાઈડલાઈન જાહેર કરાશે.