WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે મેડ ઈન ઈન્ડિયા નેઝલ વેક્સીન બાળકો માટે ગેમ ચેન્જર બની શકે છે. તેઓએ કહ્યું કે ઈન્જેક્શનવાળી વેક્સીનની સરખામણીએ આ વેક્સીન વધુ અસરકારક રહેશે.
WHOના ચીફ સાયન્ટિસ્ટનું નિવેદન
બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે નેઝલ વેક્સીન
ઈન્જેક્શનવાળી વેક્સીનની સરખામણીએ આ વેક્સીન વધુ અસરકારક રહેશે
દેશમાં જલ્દી કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેર શરૂ થવા જઈ રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ લહેર સૌથી વધારે બાળકોને અસર કરશે. આ દાવા બાદ બાળકોને માટે વેક્સીન બનાવવાની પ્રક્રિયામાં વેગ લાવવામાં આવી રહ્યો છે. આ સમયે WHOએ દાવો કર્યો છે કે કોરોનાની નેઝલ વેક્સીન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
નેઝલ વેક્સીન છે અસરકારક
WHOની ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન કહ્યું છે કે નેઝલ વેક્સીન નાકની મદદથી આપવામાં આવે છે. આ વેક્સીન ઈન્જેક્શન વાળી વેક્સીનની સરખામણીએ વધારે અસરકારક રહે છે. તેને લેવું સરળ છે. આ રેસ્પિરેટરી ટ્રેકમાં ઈમ્યુનિટી વધારશે. નેઝલ વેક્સીન તૈયાર થતાં જ ટીચર્સ અને બાળકોને આપવાનું શરૂ કરાશે. સ્કૂલ ત્યાં સુધી નહીં ખોલવામાં આવે જ્યાં સુધી ટ્રાન્સમિશન રિસ્ક ઘટશે નહીં.
ભારત બાયોટકે કંપની કરી રહી છે ટ્રાયલ
ભારત બાયોટેક કંપની નેઝલ વેક્સીનનું ટ્રાયલ શરૂ કરી રહી છે. નેઝલ સ્પ્રેની જેમ ફક્ત 4 ટીપાં કોરોનાને માત આપવામાં અસરકારક રહેશે. આ વેક્સીનને નાકમાં બંને તરફ 2-2
ટીપા નાંખવાના રહેશે. ક્લિનિકલ ટ્રાયલના રજિસ્ટ્રી અનુસાર 175 લોકોને નેઝલ વેક્સીન આપવામાં આવી છે. તેમને 3 ગ્રૂપમાં વહેંચી દેવાયા છે. પહેલા અને બીજા ગ્રૂપમાં 70 વોલેન્ટિયર અને ત્રીજા ગ્રૂપમાં 35 વોલેન્ટિયર રખાયા છે. ટ્રાયલનું પરિણામ આવવાનું બાકી છે પણ આશા છે કે ભારતને જલ્દી બાળકોની કોરોના વેક્સીન મળી જશે.