વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસને આંતરરાષ્ટ્રીય જન સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરી દીધી છે. જ્યારે જાપાનના યોકોહામા કિનારે લાંગરેલુ ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં 2 ભારતીય પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. ક્રૂઝ પર 3711 લોકો સવાર છે જેમાંથી 2666 મહેમાન અને 1045 ચાલક દળના સભ્ય છે.
WHOએ કોરોના વાયરસને આંતરરાષ્ટ્રીય જન સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરી
ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં 2 ભારતીય પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા
174 લોકો નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે
તેમાંથી 132 ચાલક દળના સભ્ય અને 6 યાત્રાળુ ભારતીય નાગરિક છે. ભારતના ક્રૂ મેમ્બર્સે પીએમ નરેન્દ્ર મોદીને પોતાને બચાવવા મદદ કરવા કહ્યું છે.
નોવેલ કોરોનાવાયરસ (nCoV) સંક્રમણની શંકાને કારણે ક્રૂઝને 19 ફેબ્રુઆરી 2020 સુધી જાપાની અધિકારીઓએ પોતાની દેખરેખમાં રાખ્યું છે. 12 ફેબ્રુઆરી 2020 સુધી કુલ મળીને 174 લોકો નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તેમા 2 ભારતીય ક્રૂ મેમ્બર પણ સામેલ છે.
તમામ 174ને જાપાની સ્વાસ્થ્ય પ્રોટોકૉલના અનુસાર પર્યાપ્ત સારવાર માટે હોસ્પિટલોમાં લઇ જવામાં આવ્યા છે. જે લોકોના સેમ્પલ પોઝિટિવ નથી જોવા મળ્યા, તેમને ક્રૂઝમાંથી જવાની મંજૂરી આપવામાં આવી નથી. જોકે, ગંભીર રૂપે બીમાર યાત્રીઓ, ક્રૂ મેમ્બરના સદસ્યોને હોસ્પિટલ અથવા મેડિકલ સુવિધાઓની દેખરેખમાં લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે.
ટોકિયોમાં ભારતીય દૂતાવાસ જાપાની અધિકારીઓની સાથે સતત સંપર્કમાં છે જેથી ક્રૂઝ પર ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી શકાય. ભારતીય દૂતાવાસ ક્રૂઝ પર ફસાયેલા ભારતીય નાગરિકોને નીકાળવાની પૂર્ણ કોશિશમાં છે જે લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે.
2 Indian crew members tested positive for novel Coronavirus onboard quarantined cruise ship Diamond Princess; 174 people on the ship have tested positive. The cruise ship has been kept in quarantine at anchor, off the coast of Yokohama, Japan till 19 February.
જાપાની ક્રૂઝ પર અત્યાર સુધીમાં કુલ 174 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 4 લોકોની સ્થિતિ ગંભીર છે. ક્રૂઝ પર તહેનાત કેટલાક અધિકારી પણ તેનાથી સંક્રમિત થયા છે. ક્રૂઝ પર કુલ 138 ભારતીય નાગરિક પણ છે. બીજી તરફ બંગાળમાં એક જહાજ પર સવાર 19 ચીની ક્રૂ મેમ્બર્સને કોલકાતા પોર્ટ પર આવવાની મંજૂરી આપવામાં આવી છે.