દુનિયાને હવે કોરોનાથી થોડી રાહત મળવાની આશા છે. એક તરફ કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે. તો બીજી તરફ અનેક દેશોમાં રસીકરણનું કામ શરુ થઈ ગયું છે. ભારતમાં પણ 16 જાન્યુઆરી અથવા 2 દિવસ બાદ રસીકરણની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. દેશના અલગ શહેરોમાં રસી પહોંચાડવામાં આવી રહી છે. પંરતુ જેની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે.
બીજો કાર્યકાળ પહેલા વર્ષની સરખામણીએ વધારે આકરો હોઈ શકે
Whoએ 11 માર્ચે કોવિડ 19ના કહેરને મહામારી જાહેર કરી હતી
16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ થવા થઈ રહ્યું છે
બીજો કાર્યકાળ પહેલા વર્ષની સરખામણીએ વધારે આકરો હોઈ શકે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપતા કહ્યુ છે કે કોરોના મહામારીનો બીજો કાર્યકાળ પહેલા વર્ષની સરખામણીએ વધારે આકરો હોઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના કાર્યકારી નિદેશક માઈકલ રેયાને કહ્યું છે કે કોરોના મહામારીનું બીજુ વર્ષ ટ્રાંસમિશન ડાયનામિક્સ પર પહેલાની સરખામણીમાં વધારે આકરુ હોઈ શકે છે.
Whoએ 11 માર્ચે કોવિડ 19ના કહેરને મહામારી જાહેર કરી હતી
માઈકલ રેયાને એક સવાલના જવાબમાં કહ્યું કે આપણે બીજા વર્ષમાં જઈ રહ્યા છીએ, જે ટ્રાંસમિશન ડાયનામિક્સ અને કેટલાક મુદ્દાઓને દેખતા વધારે આકરુ વર્ષ સાબિત થઈ શકે છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના જણાવ્યાનુસાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચે કોવિડ 19ના કહેરને મહામારી જાહેર કરી હતી. અત્યાર સુધી 99.21 કરોડો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. અને 19.7 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ થવા થઈ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે ભારતમાં 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ થવા થઈ રહ્યું છે. ત્યારે આશા સેવાઈ રહી છે કે આ વર્ષ કોરોના સામે જીતનું વર્ષ બની રહે છે. તેવામાં ડબલ્યૂએચઓનું નિવેદન પ્રશાસનની ચિંતા વધારનારું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં 10,512,831 કોરોના ગ્રસ્ત થયા છે. જ્યારે 151,765 લોકોના મોત થઈ ચૂક્યા છે.