બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'ગાઝામાં યુદ્ધ રોકી દો, તમામ બંધકોને છોડવા તૈયાર', ઈઝરાયલના તાબડતોબ અટેક બાદ સરેન્ડરના મોડમાં હમાસ
Last Updated: 09:55 AM, 18 April 2025
Israel-Hamas War : ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધનો હવે અંત આવી રહ્યો હોય તેવું લાગે છે. ઇઝરાયલ સામે હમાસ શરણાગતિના મૂડમાં હોય તેવું લાગે છે. તેમણે કહ્યું છે કે, હવે યુદ્ધનો અંત આવવો જોઈએ. હમાસે કહ્યું કે, અમે ગાઝામાં યુદ્ધનો અંત લાવવા અને તમામ બંધકોને મુક્ત કરવા માંગીએ છીએ.
ADVERTISEMENT
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે. અમે ઇઝરાયલી જેલમાં બંધ પેલેસ્ટિનિયન નાગરિકોના બદલામાં બંધક બનાવેલા તમામ ઇઝરાયલીઓને મુક્ત કરવા માંગીએ છીએ. હમાસના નેતા ખલીલ અલ-હયાએ ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે અમે હવે વચગાળાના કરારો કરવા માંગતા નથી. હવે આપણને કાયમી ઉકેલની જરૂર છે. અમે આ યુદ્ધનો તાત્કાલિક અંત લાવવા માંગીએ છીએ. ગાઝામાં યુદ્ધ નથી ઇચ્છતા. હયાએ કહ્યું કે, ઇઝરાયલી PM નેતન્યાહૂ અને તેમની સરકાર તેમના રાજકીય એજન્ડા માટે આંશિક કરાર કરી રહ્યા છે, જેના કારણે ગાઝામાં ભૂખમરો વધી રહ્યો છે. અમે બધા બંધકોને મુક્ત કરવા તૈયાર છીએ.
Hamas says it is ready to release all remaining hostages for an end to Gaza warhttps://t.co/JmEEf6DMNz
— Ariana News (@ArianaNews_) April 18, 2025
Hamas wants a comprehensive deal to end the war in Gaza and swap all Israeli hostages for Palestinians jailed in Israel, a senior official from the Palestinian militant group… pic.twitter.com/G09B5Juno3
ADVERTISEMENT
હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને પછી.....
નોંધનિય છે કે, 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો જેમાં 1200 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા જ્યારે ઘણા લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા સૌથી વધુ છે. ગાઝા બરબાદ થઈ ગયું છે. લોકો યુદ્ધથી કંટાળી ગયા છે અને શાંતિથી પોતાનું જીવન જીવવા માંગે છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વારંવાર કહી ચૂક્યા છે કે, આ યુદ્ધનો ઉદ્દેશ્ય હમાસને ખતમ કરવાનો અને એક વહીવટી સંસ્થા તરીકે સંગઠનનો નાશ કરવાનો છે. અગાઉ હમાસે ઇઝરાયલ પર જાન્યુઆરીના યુદ્ધવિરામ કરારની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો કારણ કે, તે યુદ્ધ સમાપ્ત કરવામાં અને ગાઝામાંથી તેના સૈનિકો પાછા ખેંચવામાં અને વાતચીત શરૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.