મેવાતી ઘરાનાના દિગ્ગજ સંગીતકાર પંડિત જસરાજજીનું અમેરિકા ખાતે 90 વર્ષની વયે દેહાવસાન થયું છે. તેમના નિધન અંગેની જાણકારી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટર મારફતે આપી અને તેમના પરિવારજનોને સાંત્વના પણ તેમણે પાઠવી છે. પરંતુ બહું ઓછા લોકો જાણતા હશે કે પંડિત જસરાજજીનો ગુજરાત સાથે પણ અનોખો નાતો રહેલો છે.
90 વર્ષની વયે દિગ્ગજ સંગીતકાર પંડિત જસરાજનું નિધન
અમદાવાદના સાણંદ ગામ સાથે હતો અનોખો નાતો
જસરાજજીના પરિવારજનોએ આપેલી માહિતી મુજબ, સ્થાનિક સમય મુજબ સવારે 5.15 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. પંડિત જસરાજના અવસાન બાદ તેમની અંતિમ વિધિ ક્યાં થશે તે અંગે પણ અટકળો ચાલી રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલય અને કેન્દ્ર સરકાર પંડિત જસરાજના મૃતદેહને ભારત લાવવાની વાત કરી રહ્યા છે.
દેશના દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો
संगीत विभूति व अद्वितीय शास्त्रीय गायक पंडित जसराज के निधन से दुख हुआ। पद्म विभूषण से सम्मानित पंडितजी ने आठ दशकों की अपनी संगीत यात्रा में लोगों को भावपूर्ण प्रस्तुतियों से आनंद विभोर किया। उनके परिवार, मित्रगण व संगीत-पारखी लोगों के प्रति मेरी शोक संवेदनाएं!
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અખિલેશ યાદવ સહિતના ઘણા નેતાઓએ પંડિત જસરાજના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
The unfortunate demise of Pandit Jasraj Ji leaves a deep void in the Indian cultural sphere. Not only were his renditions outstanding, he also made a mark as an exceptional mentor to several other vocalists. Condolences to his family and admirers worldwide. Om Shanti. pic.twitter.com/6bIgIoTOYB
શાસ્ત્રીય સંગીત જગતમાં પંડિત જસરાજજીનું નોંધનીય પ્રદાન રહ્યું છે. સિલ્કની ધોતી,કુર્તા અને બંડી તથા ગળામાં માળાનો પોશાક પહેરતા પંડિતજી શાસ્ત્રીય સંગીતની આધ્યાત્મિક ચરમસીમાના દેવદૂત સમા લાગે છે.તેમનો જન્મ 28 જાન્યુઆરી 1930નાં રોજ હરિયાણા રાજ્યનાં પીલ્લી મંદોરી ખાતે માતા ક્રિષ્ના પંડિત અને પિતા મોતીરામજી પંડિતને ત્યાં થયો હતો.
With the passing away of Pandit #Jasraj ji, India has lost one of its greatest classical vocalist. I pay my heartfelt tribute to the maestro and my deepest condolences to Smt Madhura Deviji, @durgajasraj ji and family. pic.twitter.com/AY2Rit8D91
ઉલ્લેખનીય છે કે, 30 નવે.1934 નાં રોજ પંડિતજીના પિતાજી હૈદરાબાદ નિઝામ સ્ટેટના સંગીતકાર બનવાના હતા.આ કાર્યક્રમ 4 વાગે શરુ થવાનો હતો ત્યારે 11 વાગે અચાનક પંડિત મોતીરામજીનું અવસાન થયું અને સ્વપ્ન અધૂરું બન્યું. મોટા ભાઈ પંડિત મણિરામજીનાં શિરે બધી જવાબદારી આવતાં સંગીતની ખરી તાલીમ પણ એમની પાસેથી મેળવી તેથી તેઓ મોટાભાઈ ને પોતાનાં સંગીતગુરૂ માને છે. મેવાતી ઘરાનાની સાધના કરવાનું સદભાગ્ય પંડિતજીનાં પરિવારને ચાર પેઢીથી સાંપડ્યું છે.
ગુજરાતના સાણંદ સાથે અનોખો નાતો
સાણંદ બાપુ સાહેબને 14 વર્ષની ઉંમરે મળવાનું થયું.ત્યાં તેમને ત્યાં આવતાં સ્વામી વલ્લભદાસજીનો પણ ઘણો પ્રભાવ પોતાનાં પર છે તેવું પંડિતજી માને છે. માતાજીના પરમ ઉપાસક એવા સાણંદનાં દરબાર (બાપુ સાહેબ) શ્રી જૈવંતસિંહજી વાઘેલા સાથે નજીકનો સંબંધ ધરાવતા પંડિતજી તેમને પોતાનાં આધ્યાત્મિક ગુરૂ માને છે.
1962માં થયાં હતા લગ્ન
1955 ની સાલમાં એક ફિલ્મનાં 'જનક જનક પાયલ બાજે' ગીતના રેકોર્ડીંગ સમયે પંડિતજીની મુલાકાત જાણીતા સંગીતકાર વી.શાંતારામનાં દીકરી મધુરાજી સાથે થઇ અને 1962માં એ મુલાકાત લગ્નમાં પરિણમી. મધુરાજી અને પંડિતજીની પુત્રી દુર્ગા સફળ સંચાલક અને મેવાતી ઘરનાનાં આરાધક છે તથા પુત્ર સારંગદેવ ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે.
સાણંદ બાપુસાહેબ રચિત માતા કાલિકા રચના લોકમુખે બની છે જાણાતી
પંડિતજીના કંઠે ગવાયેલ ' જયહિન્દ ' અને ' તિરંગા ' રચના રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરે છે.તથા ' નમો ભગવતે વાસુદેવાય ', " કસ્તુરી તિલકમ ", હર હર હર ભૂતનાથ પશુપતિ " " મેરો અલ્લાહ મહેરબાન " તથા સાણંદ બાપુસાહેબ રચિત માતા કાલિકા,જેવી અનેક ભક્તિગીતોનાં ગાન દ્વારા પંડિતજી ચાહકોના દિલમાં આગવું સ્થાન ધરાવે છે.
સહજ સ્વભાવ ધરાવતા હતા પંડિત જસરાજ
અવાજની સમૃદ્ધતા ધરાવતા પંડિત જસરાજજીના કંઠે ગવાયેલ અનેક ભક્તિપદોની સી.ડી.-કેસેટ બજારમાં ઉપલબ્ધ છે. ગણતરીના વર્ષ પહેલા મુંબઈમાં અંધેરી-વરસોવા રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાને ગુજરાતમાં જેમની સાથે તેમને નિકટનો સંબંધ હતો તેવા ચાહકો-શિષ્યો પૈકીના ડો.પ્રણવ ઠાકર દ્વારા એક અલભ્ય મુલાકાત ગોઠવાઈ. ત્યારે તિરુપતિ બાલાજી અને દિલ્હીના પ્રવાસેથી પરત આવેલા પંડિતજીના ચહેરા પર થાક અચૂક દેખાતો હતો.છતાં વાતચીત દરમિયાન ચહેરા પર આવતું સ્મિત લાંબી મુસાફરીના થાકને દેખાવા નહોતું દેતું.ડૉ.પ્રણવ ઠાકર,વઢવાણ-સુરેન્દ્રનગર તથા જામનગર ખાતેની ડૉ.ઠાકર સાથેની મુલાકાતની વાતો વચ્ચે પંડિતજી સહજ રીતે બોલ્યા " ક્યાં લોગે આપ ? " નકારમાં પ્રત્યુત્તર વાળતા ફરી એમણે કહ્યું ' કુછ તો લેના પડેગા..!! ' ચલો શ્રી બાલાજીકા પ્રસાદ લો.અને હૃદયનાં ભાવની મીઠાશ ભેળવેલો પ્રસાદ આપ્યો.
જિંદગીનાં નવ દાયકા વટાવી ચુકેલા પંડિતજી સાથેની વાતો ખાસ મુલાકાત બનતી જતી હતી.અચાનક ઈશારો કરી આ લખનારને નજીક બોલાવી પોતાનાં ચરણો પાસે બેસાડી જમણા હાથનો અંગુઠો પોતાનાં જમણા અંગુઠાનો સ્પર્શ કરાવી કોઈ ખાસ તરંગો શરીરમાં વહેતા મુક્યા જે આજે પણ અનુભવી શકાય છે.
પંડિત જસરાજના નામે એક ગ્રહનું નામ
અવાજની સમૃદ્ધતા,સહજ સ્વભાવ ધરાવતા પંડિતજીને પદ્મશ્રી,પદ્મભૂષણ,સંગીત માર્તંડ,સંગીત કલારત્ન,દીનાનાથ મંગેશકર અવોર્ડ તથા વિવિધ સન્માન પ્રાપ્ત થયેલા છે.વિશેષ વાત એ છે કે કેનેડાની યુનિ.ઓફ ટોરંટો,અમેરિકાની ન્યુયોર્ક અને હાવર્ડ યુનિ.એ પોતાનાં ઓડીટોરીયમ સાથે પંડિતજીનું નામ જોડી તેમનું વિશેષ સન્માન કર્યું છે. આ સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતને નાસાના વિજ્ઞાન સમુદાય દ્વારા પંડિત જસરાજના નામે એક ગ્રહનું નામ આપ્યું. જે ગ્રહ નાસા અને ઈંટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન 2006 શોધાયો હતો જે ગ્રહનું નામ પંડિત જસરાજ રાખી નાસાએ જસરાજજીને સન્માન આપ્યું છે. પરંતુ ભારત રત્ન સન્માન તેમને અપાયું હોત સોનામાં સુગંધ ભળી હોત.