અદીસ અબાબાની પાસે ઇથોપિયન એરલાઇન્સનુ વિમાન બોઇંગ 737 ક્રેશ થઇ ગયુ છે, આજે સવારે આ દુર્ઘટના બની હતી. વિમાન કેન્યાની રાજધાની નૈરોબી જઇ રહ્યુ હતુ. વિમાનમાં કુલ 149 યાત્રીઓ અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનામાં કોઇને બચવાની સંભાવના નથી. વિમાનમાં સવાર તમામ લોકોની મોત થઇ ગઇ છે.
વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 વાગ્યે ઉડાન ભરી હતી જેના 6 મિનિટ બાદ જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. એરલાઇન્સે પોતાના નિવેદનમાં આ વાત જણાવી છે. અદીસ અબાબાના દક્ષિણ પૂર્વમાં વિમાન ક્રેશ થવાની આશંકા છે. વિમાનમાં 149 યાત્રીઓ અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. નિવદેન અનુસાર, ''હાલમાં તપાસ અભિયાન ચાલી રહ્યુ છે જોકે હજુ સુધીને કોઇ જીવિત હોવાની સૂચના મળી નથી.''
એરલાઇન દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ઇથોપિયન એરલાઇન્સના સ્ટાફ દુર્ઘટના પર મોકલવામાં આવશે અને ઇમરજન્સી શરૂ કરવા આવશે અને જે સંભવ હશે તેમ કરવામાં આવશે.
આ ઘટના પર દુખ વ્યકત કરતા ઇથોપિયા સરકારે દુખ વ્યકત કર્યુ છે. ઇથોપિયાના પ્રધાનમંત્ર અબી અહમદે ટ્વીટ કર્યુ કે, '' પરિવાર પ્રતિ સંવેદના છે જેમણે આજે નેરૌબી જનારા બોઇંગ 737 ફ્લાઇટમાં પોતાનાને ગુમાવ્યા છે.''ઈથોપિયન એરલાઇન્સને આફ્રિકાની સૌથી મોટી એરલાઇન્સ કંપની છે.