અમદાવાદમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં CM રૂપાણીની હાજરીમાં અલગ અલગ 4 અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં CM રૂપાણી સાબરમતી સ્વચ્છ અભિયાનની શરૂઆત કરવામાં આવશે.
આ અભિયાનમાં 20 હજાર લોકો નદીની સફાઈ કામગીરીમાં જોડાશે. આ સાથેજ મિશન મિલિયન ટ્રી અભિયાનનો પણ પ્રારંભ થશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી છોડ વાવીને અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાનના અંતર્ગત 10 લાખ વૃક્ષો વાવવામાં આવશે. જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO સહિત 5 હજાર વોલિયન્ટર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જોઈન્ટ એમ્ફોર્સમેન્ટ ટીમને પણ લીલીઝીડં આપશે. જેમાં શહેરના 48 વોર્ડમાં ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે. આ ટીમને 50 જેટલી ઈ રિક્ષા આપવામાં આવશે. જે ગંદકી, લખાણ, ટ્રાફિક, પોસ્ટર સહિતના વિવિધ મામલે ચકાસણી કરશે.
આ માટે ઈલેક્ટ્રોનિક વાહનોના ચાર્જિંગ પોઈન્ટની પણ સુવિધાનો પ્રારંભ થશે. જેમાં શહેરમાં 100 જેટલા પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. ચાર્જિંગ પોઈન્ટ માટે આવતીકાલે AMC અને EESL વચ્ચે પણ MOU થશે.