આજે વિશ્વભરમાં પર્યાવરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પર્યાવરણ પ્રતિ જાગરૂકતા ફેલાવવા માટે દર વર્ષે 5 જૂનના પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.
આમ તો પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે ઘણા કારણો જવાબદાર છે, પરંતુ શું તમે જાણો છો કે, મહિલાઓ દ્વારા પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાતા સૈનિટરી પેડ્સ પણ શામેલ છે.
સૈનિટરી પેડ્સ પણ પર્યાવરણ દૂષિત કરવા માટે કામ કરે છે. જાણીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર કઇ રીતે સૈનિટરી પેડ્સ અને પર્યાવરણથી જોડાયેલી આ વાતો વિશે, જેના વિશે મહિલાઓ પણ અજાણ હશે
સામાન્ય રીતે મહિલાઓ સૈનિટરી પેડ્સનો ઉયપોગ કરતા અજાણ હોય છે તેની ગણતરી જાતે નષ્ટ થાય તેવી વસ્તુમાં નથી થતી, જેના કારણે પર્યાવરણને સ્વચ્છ બનાવવા માટે આ એક મોટો પડકાર છે.
ઘણી વખત ફેંકવામાં આવેલા પેડ્સને રખડતા કૂતરાઓ ફાડીને વધારે ગંદકી ફેલાવે છે. તો ઘણી વખત મહિલાઓ સૈનિટરી પેડ્સને યૂઝ કર્યા પછી ગટરમાં વહાવી દે છે. જે કારણે સૈનિટરી પેડ્સ ડ્રેનેજ સિસ્ટમને પણ ખરાબ કરી દે છે.
સૈનિટરી પેડ્સના ઉપયોગ કર્યા પછી મ્યૂનિસિપલ સૉલિડ વેસ્ટના રૂપથી ખુલ્લામાં ફેંકવામાં આવે છે અથવા તો ફ્લશ કરી દેવામાં આવે છે. ભારતમાં દર મહિને એક અરબથી વધારે સૈનિટરી પેડ્સ કચરા, ખાડાઓ, મેદાન, ગટરલાઇન અને જળસ્ત્રોતોમાં જમા થાય છે. જે કારણે મોટી સંખ્યામાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખતરારૂપ બની જાય છે.
સૈનિટરી પેડની કારણે ન તો માત્ર પર્યાવરણ પ્રદુષિત થાય છે પરંતુ લોકોની સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. ખુલ્લામાં ફેંકવામાં આવેલા સૈનિટરી પેડ્સ કચરા ઉઠાવતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. વાસ્તવમાં ઉપયોગમાં થયેલૈ સૈનિટરી પેડ્સમાં લાગેલા લોહીથી સુક્ષ્મ જીવાણુ એટલે કે માઇક્રો ઓર્ગન્ઝિમ્સ ફેલવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
જાગરૂકતા ના હોવાને કારણે સામાન્ય રીતે સૈનિટરી પેડ્સને પૉલિથિન અથવા તો અન્ય કચરાની સાથે ફેંકી દેવામાં આવે છે, જે પછી ઘરો અને રહેવાસી વિસ્તારમાં તેણે ભેગું કરી અને સુરક્ષિત તથા વૈજ્ઞાનિક રીતે સ્વચ્છ કરવું એક પડકારરૂપ બને છે.
ઉપાય:
બાયો ડિગ્રેડેબલ પેડ્સની સરખામણીએ સૈનિટરી પેડ્સ પર્યાવરણને વધારે નુકસાન પહોંચાડે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ જણાવ્યુ કે, પીરિયડ્સ દરમિયાન સૈનિટરી પેડ્સનો ઉપયોગ નથી કરતી. દિયાએ કહ્યુ,''હું એ તમામ વસ્તુઓનો ઉપયોગ બંધ કરી ચૂકી છુ જેનાથી પર્યાવરણને નુકસાન થાય. સૈનિટરી પેડ્સ મહિલાઓ માટે જરૂરી છે પરંતુ તેનાથી પર્યાવરણ પ્રદુષિત થાય છે. એવામાં 100% પ્રાકૃતિક રીતે નષ્ટ થતા બાયોડિગ્રેબલ નેપકિનનો ઉપયોગ કરવો જોઇએ.
- પર્યાવરણને ધ્યાનમાં રાખીને મહિલાઓ ઘણી વખત કપડાથી બનતા પેડ્સ, બાયોડીગ્રેબલ પેડ, કપ જેવા પર્યાવરણને અનુકૂળ સૈનિટરી પેડ્સનો ઉપયોગ માટે જોર આપે છે.