આખી દુનિયામાં કરોડો લોકો ડાયાબિટીસની બિમારીનો શિકાર બને છે. આ બિમારી એક એવી સાયલન્ટ કીલર છે, જે માણસના શરીરને ધીરે-ધીરે ખોખલુ કરી નાખે છે. ડાયાબિટીસની ઝપેટમાં આવ્યાં બાદ આખુ જીવન બ્લડ સુગર લેવલને મોનિટર કરવુ પડે છે. ડાયાબિટીસ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે.
આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે, આ એક સાયલન્ટ કીલર બિમારી
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો આ વાતનું રાખો ધ્યાન
એક્ટિવ લાઈફસ્ટાઈલ તમારા આરોગ્ય માટે પણ ફાયદાકારક
આળસુ રહેવુ
ડૉકટર્સ કહે છે કે આ બિમારીમાં દર્દીઓએ આ ભૂલ ના કરવી જોઈએ. નહીંતર આ બિમારી તમને મુશ્કેલીમાં મુકશે. આળસુ લાઈફસ્ટાઈલ આરોગ્ય માટે ખૂબ ખતરનાક છે. આ ફક્ત સ્થૂળતા નહીં પરંતુ બ્લડ સુગર પણ ઝડપથી વધારે છે. જ્યારે એક્ટિવ લાઈફસ્ટાઈલ ફક્ત બ્લડ સુગર નહીં પરંતુ આપણા આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. જો તમે કસરત કરો તો શરૂઆતમાં ભારે કસરત કરશો નહીં નહીંતર બ્લડ શુગર ઘટી શકે છે.
હાઈ કાર્બ્સ-લો ફેટ ડાયટ
અન્ય પોષક તત્વોની જેમ ફેટ પણ તમારી ડાયટનો મહત્વનો ભાગ હોવો જોઈએ. ઘણાં લોકો વજન ઘટાડવાના ચક્કરમાં ડાયટમાંથી ફેટને સંપૂર્ણ રીતે ખત્મ કરી નાખે છે અને તેના કારણે તેના શરીરમાં હેલ્ધી ફેટની ઉણપ રહે છે. આરોગ્યના નિષ્ણાંતો મુજબ, ડાયાબિટીસના દર્દીઓમાં હેલ્ધી ફેટ હોવુ અત્યંત જરૂરી છે અને આ નટ્સ, સીડ્સ અને શુદ્ધ તેલ દ્વારા લઇ શકાય છે.
ખાવાની વચ્ચે લાંબો સમય
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ખાવાની વચ્ચેના અંતરને ઘટાડવાના પ્રયાસ કરો. ડાયટની વચ્ચે વધુ સમય થવાથી ખાવાની માત્રા વધી જાય છે અને તેના કારણે બ્લડ સુગર પણ વધવા લાગે છે. તબીબી નિષ્ણાંતો મુજબ, ડાયાબિટીસના દર્દીઓએ થોડા-થોડા સમયના અંતરે કશું ખાવુ જોઈએ. બે ડાયટની વચ્ચે હેલ્ધી નાસ્તો પણ ખાવાનો પ્રયાસ કરવો જોઈએ.
ફ્લોની ક્વોન્ટિટી
મોટાભાગના લોકો ગેરસમજના શિકાર બનતા હોય છે કે ડાયાબિટીસના દર્દીઓએ ફળ ના ખાવા જોઈએ. કારણકે તેમાં નેચરલ સુગર હોય છે. ફળો ખાવા જોઈએ પરંતુ વધુ ફળો પણ ના ખાવા જોઈએ. ડાયાબિટીસના દર્દીએ મર્યાદિત માત્રામાં ફળોનું સેવન કરવુ જોઈએ. ફ્રૂટને ધીરે-ધીરે સારી રીતે ચાવીને ખાવુ જોઈએ. જે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે.
વધુ સ્ટ્રેસ લેવો
આરોગ્ય માટે સૌથી વધુ ખતરનાક તણાવ છે. જે તમારા હોર્મોન્સ, માનસિક અને શારીરિક આરોગ્ય પર પણ અસર પાડે છે. તબીબી નિષ્ણાંતો ડાયાબિટીસના દર્દીઓને તણાવથી બિલ્કુલ દૂર રહેવા માટેની સલાહ આપે છે. એક અભ્યાસ મુજબ, તણાવ બ્લડ સુગરને વધારે છે અને તમારા હાર્ટને પણ અસર કરે છે.
પૂરતી ઉંઘ ના લેવી
ઉંઘ આરામ સિવાય શરીરના અલગ-અલગ કાર્યોને અંકુશમાં રાખે છે. તબીબી નિષ્ણાંતોના જણાવ્યાં અનુસાર ઉંઘતી વખતે શરીરની અંદર મોટાભાગના હોર્મોન્સ સંતુલિત હોય છે. ઈન્સુલિન પણ એક હોર્મોન છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ પૂરતી ઉંઘ લેવી અત્યંત જરૂરી છે.