ચેન્નાઇ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમયથી પીઠના દુખાવાથી પરેશાન છે. આ કારણે ધોનીએ આ સિઝનની એક મેચ નહતો રમ્યો જેના કારણે ચેન્નાઇ હારનો સામનો કરવો પડ્યો હતો. ધોનીએ કહ્યુ કે, ''અત્યારે તેને પ્રમાણમાં સારું છે અને થોડી ઓછી સમસ્યા અનુભવી રહ્યો છે પરંતુ તેને વર્લ્ડકપ પહેલા ધ્યાન રાખવાની જરૂર છે. ''
મંગળવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટ પર મળેલી જીત પછી ધોનીએ કહ્યુ કે, ''પીઠ દર્દની વાત કરતા કહ્યુ કે, પ્રમાણમાં સારુ છે પરંતુ વર્લ્ડ કપ પહેલા ધ્યાન રાખવાની જરૂર છે.'' ધોનીએ કહ્યુ કે, ''ટોપના તમામ ખિલાડીઓને કોઇને કોઇ ફિટનેસની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની સમસ્યાઓ આવતી રહે છે.''
ધોનીએ કહ્યું કે, ''પીઠમાં થોડી જકડન છે, પરંતુ તેનાથી પરેશાની થઇ રહી નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એવો કોઈ ખેલાડી નથી જે કે એક ઇજા સાથે રમતો ના હોય. જો વધારે તકલીફ પડી, તો હું આરામ લઈ લઈશ.''
ચેન્નાઇના કેપ્ટ્ને વધુ ઉમેરતા કહ્યું હતું કે, ''આ સ્તરે તમે ક્રિકેટ રમો તો આવી નાની-મોટી ઈજાઓ સામાન્ય લાગવા લાગે છે. જો અમે પૂરી રીતે ફિટ થઈને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરીએ તો 2 મેચ વચ્ચે 5 વર્ષનો અંતર હોય શકે છે.''
ઉલ્લેખનીય છે કે, 17 એપ્રિલના સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ઘ રમાયેલી મેચમાં ધોનીને પીઠની તકલીફના કારણે મેચ ના રમી શક્યો, આ મેચમાં હૈદરાબાદે ચેન્નઇને 6 વિકેટથી હરાવ્યુ.