સેમીફાઇનલમાં ભારતની હારથી ફેન્સ ખૂબ નિરાશ છે. ક્રિકેટના દિગ્ગજ પોતાના હિસાબથી વિશ્લેષણ અને હારના કારણોની સમીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે રોહિત શર્માએ ટ્વિટ કરીને હારથી નિરાશ ફેન્સને પોતાનું દુ:ખ શેર કર્યું છે.
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં રનોનો રેકોર્ડ કરનાર સ્ટાર ભારતીય ઓપનર રોહિત શર્મા સેમીફાઇનલમાં ભારતની હાર બાદ ખૂબ દુ:ખી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે હાર્યા બાદ ભારતનો ત્રીજી વખત વર્લ્ડકપ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે.
રોહિત શર્માએ ભારતના વર્લ્ડકપથી બહાર થયા બાદ પોતાના ફેન્સને ભાવુક સંદેશ આપ્યો છે. રોહિત શર્માએ ટ્વિટ કરીને ફેન્સને વર્લ્ડકપર નહીં જીતી શકવાનું દુ:ખ શેર કર્યું છે.
રોહિત શર્માએ ટ્વિટ કરતાં લખ્યું, 'એક ટીમના રૂપમાં અમે મહત્વના સમય પર પ્રદર્શન કરવામાં અસફળ રહ્યા, 30 મીનિટની ખરાબ ક્રિકેટે અમારી પાસેથી વર્લ્ડકપ જીતવાની તક છીનવી લીધી. મારું દિલ ભારે છે અને મને ખબર છે કે તમારું પણ હશે. ઘરની બહાર અમને જોરદાર સમર્થન મળ્યું. ઇંગ્લેન્ડમાં જ્યાં પણ અમે રમ્યા ત્યાં સ્ટેડિયમને વાદળી રંગમાં રંગવા માટે આભાર.'
We failed to deliver as a team when it mattered, 30 minutes of poor cricket yesterday & that snatched away our chance for the cup. My heart is heavy as I’m sure yours is too.The support away from home was incredible.Thank you all for painting most of uk blue wherever we played 🇮🇳
જણાવી દઇએ કે જ્યારે સીમફાઇનલ મેચમાં એક બાદ એક ટીમ ઇન્ડિયાની વિકેટ પડી રહી હતી તો હારની નજીક જતા જોઇને રોહિત શર્મા ઇમોશનલ થઇ ગયો અને એના આંસુ પણ રોકી શક્યો નહીં.
રોહિત શર્માએ ટીમ ઇન્ડિયા માટે આ વર્લ્ડકપમાં ખૂબ મહેનત કરી હતી, પરંતુ જ્યારે ભારતનું આ સપનું ટૂટી ગયું તો ફેન્સ પણ દુ:ખી થઇ ગયા. રોહિતે આ વર્લ્ડકપમાં પાંચ સેન્ચ્યુરી અને બે હાફ સેન્ચ્યુરી સહિત 9 મેચોમાં 648 રન બનાવ્યા, આ વર્લ્ડકપમાં એની સરેરાશ 81ની રહી.
રોહિતે આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 122, પાકિસ્તાનની સામે એને 140 રન, ઇંગ્લેન્ડની વિરુદ્ધ 102 રન, બાંગ્લાદેશની સામે 104 રન અને શ્રીલંકાની સામે રોહિત શર્માએ 103 રન બનાવ્યા.