સાઉથ આફ્રિકાની વિરુદ્ધ મેચમાં યુજવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગ ઉપરાંત રોહિત શર્માની સેન્ચ્યુરી ચર્ચામાં રહી, પરંતુ આ મેચ દરમિયાન સૌથી વધારે મહેન્દ્ર સિંહ ધોનીના વિકેટકીપિંગ ગ્લવ્સે ચોંકાવી દીધા છે.
સાઉથેમ્પ્ટનમાં ટીમ ઇન્ડિયાએ પોતાના વર્લ્ડકપ અભિયાની શાનદાર શરૂઆત કરી. હાલના 'ક્રિકેટ મહાકુંભ'માં સતત નિષ્ફળ સાબિત થઇ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને વિરાટ બ્રિગેડે પણ માત આપી. બુધવારે રાતે ભારકે સાઉથ આફ્રિકા પર 6 વિકેટથી ધમાકેદાર જીત પ્રાપ્ત કરી.
આ મેચમાં યુજવેન્દ્ર ચહલની ધારદાર બોલિંગ (4/51) ઉપરાંત રોહિત શર્માની જોરદાર સેન્ચ્યુરી ચર્ચામાં રહી, પરંતુ મેચ દરમિયાન સૌથી વધારે મહેન્દ્ર સિંહ ધોનીના વિકેટકીપિંગ ગ્લવ્સે ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, ધોનીના ગ્લ્વ્સ પર અનોખું નિશાન જોવા મળ્યું હતું, જેને દરેક લોકો ઉપયોગમાં લઇ શકે નહીં. વાસ્તવમાં, આ બેજ પેરા-કમાન્ડો લગાવે છે. આ બેજને 'બલિદાન બેજ' થી ઓળખવામાં આવે છે.
શું છે બલિદાન બેજ?
પેરાશૂટ રેજિમેન્ટના વિશેષ દળો પાસે એમના અલગ બેજ હોય છે, જેને 'બલિદાન' ના રૂપથી ઓળખવામાં આવે છે. આ બેજમાં 'બલિદાન' શબ્ગને દેવાનગરી લિપિમાં લખવામાં આવ્યો છે. આ બેજ ચાંદીના ધાતુથી બનાવેલો હોય છે, જેની ઉપર લાલ પ્લાસ્ટિકની આયત હોય છે. આ બેજ માત્ર પેરા કમાન્ડો જ પહેરી શકે છે.
ધોનીના ગ્લવ્સ પર આ નિશાન કેવી રીતે? શું છે સત્ય
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાં એની ઉપલબ્ધિઓના કારણે 2011માં પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલની રેંક આપવામાં આવ્યો હતો. ધોની આ સમ્માન મેળનાર કપિલ દેવ બીજો ભારતીય ક્રિકેટર છે.
ધોનીને માનદ કમીશન આપવામાં આવ્યું કારણ કે તે એક યુવા આઇકન છે અને તે યુવાઓને સશસ્ત્ર બળમાં સામેલ થવા પ્રેરિત કરી શકે છે. ધોની એક પ્રશિક્ષિત પૈરાટ્રૂપર છે. એને પેરા બેસિક કોર્સ કર્યો છે અને પેરાટ્રૂપર વિંગ્સ પહેરે છે.
ધોની ઓગસ્ટ 2015માં પ્રશિક્ષિત પેરાટ્રૂપર બની ગયો હતો. આગ્રાના પેરાટ્રૂપર્સ ટ્રેનિંગ સ્કૂલમાં ભારતીય વાયુ સેનાના એએન-32 વિમાનથી પાંચમી છલાંગ પૂરી કર્યા બાદ એને પ્રતિષ્ઠિત પૈરા વિંગ્સ પ્રતીક ચિહ્ન લગાવવાની પરવાનગી પ્રાપ્ત કરી લીઘી હતી. એટલે કે આ સાથે ધોનીને આ બેજના ઉપયોગની યોગ્યતા પ્રાપ્ત થઇ ગઇ.