વિરાટ કોહલીની કેપ્ટનસી વાળી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ 30 જૂને રમાનારી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં પારંપારિક વાદળી રંગની ટીશર્ટની જગ્યાએ ઓરેન્જ જર્સીમાં મેદાન પર ઊતરશે. ઇંગ્લેન્ડની સાથે રમાનારી મેચમાં એને પોતાની વૈકલ્પિક જર્સીનો ઉપયોગ કરવો પડશે, જે નારંગી છે.
ICC ના નિયમો અનુસાર મેજબાન ટીમને આઇસીસી ઇવેન્ટમાં રમતા પોતાની જર્સીના રંગને યથાવત રાખવાનો હોય છે. કારણ કે ભારતની જર્સીનો રંગ વાદળી રંગની છે, એવામાં ભારતની જર્સીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.એવામાં મેજબાન ઇંગ્લેન્ડ વાદળી જ જર્સીમાં ઊતરશે.
જણાવી દઇએ કે હાલની વર્લ્ડકપમાં 2 જૂને દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશની વિરુદ્ધ મેચમાં પોતાનો શર્ટ બદલી નાંખ્યો હતો. એ મેચમાં આફ્રિકી ખેલાડી લીલા રંગની જગ્યાએ પીળા શર્ટમાં મેદાન પર ઊતર્યા હતા.
ભારત અને અફઘાનિસ્તાન બંનેની વાદળી જર્સી છે. એવામાં બંનેની વચ્ચે શનિવારે રમાનારી મેચમાં અફઘાનિસ્તાનને પોતાની કિટ બદલવી પડી શકે છે. વિશ્વ કપ 2019ના આઇસીસી શેડ્યૂલ પ્રમાણે સાઉથેમ્પટનમાં યોજાનારી આ મેચને ભારતની ઘરેલૂ મેચ માનવામાં આવશે.
— Afghanistan Cricket Board (@ACBofficials) May 8, 2019
આ પહેલા સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની ભગવા જર્સીને લઇને લોકો ફેક ભગવા જર્સીનો ફોટો પણ શેર કરી રહ્યા હતા. એક યૂઝરે ફેક જર્સીનો ફોટો શેર કરતા લખ્યું હતું કે શું અમિત શાહે ટીમની જર્સીની ડિઝાઇન કરી છે? તો કેટલાક લોકોએ કેન્દ્રની મોદી સરકારને લોકસબા ચૂંટણીમાં મળેલી જીતથી જોડીને જોઇ રહ્યા હતા જે ખોટું છે.
ટીમ ઇન્ડિયાને પોતાની આગળની મેચ 22 જૂને અફઘાનિસ્તાનની વિરુદ્ધ રમવાની છે. ત્યારબાદ એને 27 જૂને વેસ્ટઇન્ડિયઝ અને 30 જૂને ઇંગ્લેન્ડની સામે રમવાની છે. ઇંગ્લેન્ડ બાદ ભારત 2 જુલાઇએ બાંગ્લાદેશ અને 6 જુલાઇએ શ્રીલંકાની વિરુદ્ધ મેચ રમશે.