બોર્ડર પર તણાવ છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ પ્રત્યે લોકોનો પ્રેમ ઓછો નથી થયો. તેનું તાજું સબૂત વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે થનારી મેચની તમામ ટિકિટ 48 કલાકની અંદર વેચાઇ ગઇ. જણાવી દઇએ કે, વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડમાં યોજાવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના મેચ રમાવવાની છે. માનચેસ્ટરમાં રહેલી ઓલ્ડ ટ્રાફોર્ડ સ્ટેડિયમમાં આ મેચ રમાશે.
જાણકારી અનુસાર, આ મેચની ડિમાન્ટ એટલી છે કે બધી ટિકિટ માત્ર 48 કલાકની અંદર વેચાઇ ગઇ. સાથે જ જાણવા મળ્યુ કે મેચ સાથે જોડાયેલી જાણકારી લેવા માટે આયોજનકર્તાઓને જે ફોન્સ થઇ રહ્યા છે તે મોટેભાગે ભારતીયોના છે. આ ગ્રાઉન્ડ પર 26 જૂને ભારતની મેચ વેસ્ટ ઇન્ડિઝની સાથે થશે, જોકે તેના પ્રત્યે લોકોમાં આવુ જૂનુન જોવા નથી મળ્યુ.
વર્લ્ડકપના આયોજનકર્તા હવે માનવા લાગ્યા છે કે ભારત અને પાકિસ્તાવ મેચમાં જે માહોલ હશે તે ઇંગ્લેન્ડ અને ભારતની મેચમાં પણ નહી થાય. જણાવી દઇએ કે આ સ્ટેડિયમમાં છેલ્લી વખત ભારતે ઇંગ્લેન્ડ સામે T-20 મેચ રમી હતી. મળતી જાણકારી મુજબ આ મોટી મેચમાં એક રાત પહેલા ભારત આર્મીનો એક કોન્સર્ટ હશે, જેમાં જાણીતા પંજાબી સિંગર ગુરુ રંધાવા પહોંચશે.
માત્ર વર્લ્ડકપની વાત કરીએ તો પાકિસ્તાન ભારતને ક્યારેય હરાવી શક્યુ નથી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 6 ટક્કર થઇ છે, આ બધી મેચોમાં ભારતની જીત થઇ છે. T-20 વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન ભારતને ક્યારેય હરાવી શક્યુ નથી. બંને વચ્ચે રમાયેલી 5 મેચોમાંથી તમામ મેચ ભારતે જીતી છે.