હાલ ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારત પહેલી મેચ જીતી ચુક્યું છે. 9 જૂને ભારતની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. પરંતુ મોટાભાગના લોકો 16 જૂનની રાહ જોઇને બેઠા છે. આ દિવસે ભારત અને પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચને લઇને ભારતીય દર્શકોમાં ખૂબ ઉત્સાહ છે. ઇંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં આ મેચ રમાશે.
એક રિપોર્ટ અનુસાર આ મેચની ટિકીટને લઇને પાકિસ્તાનથી વધારે ભારતીય દર્શકોમાં ઉત્સાહ છે. ત્યારે તો 66.6 ટકા ટિકીટ ભારતીયોએ ખરીદી છે. તો બીજા બાજુ પાકિસ્તાનની વાત કરીએ તો માત્ર 18 ટકા ટિકીટ જ પાકિસ્તાનીઓએ ખરીદી છે.
આમ તો ઓલ્ડ ટ્રેફર્ડની ક્ષમતા 25 હજાર દર્શકોની છે, પરંતુ 4 લાખથી વધારે લોકોએ ટિકીટ માટે અરજી કરી હતી. મેનચેસ્ટર સ્થિત ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમનું નિર્માણ 1857માં થયું હતું. આ વખતે ઓલ્ડ ટ્રેફર્ડ સેમીફાઇનલ સહિત 6 મેચ રમાશે. આ મેદન પર 16 જૂને ભારત પાકિસ્તાનની વચ્ચે હરિફાઇ થવાની છે. 1999માં આ મેદાન પર ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પરંતુ ઓવરઑલ રેકોર્ડ કોઇ ખાસ સારો નથી. અહીંયા ટીમ ઇન્ડિયાએ 8 મેચ રમી છે. એમાંથી 3માં જીત અને 5માં હાર મળી છે.
ઓલ્ડ ટ્રેફર્ડમાં 1999માં પાકિસ્તાનના ઑફ સ્પિનર સકલૈન મુશ્તાકે વર્લ્ડકપની બીજી હેટ્રિક ઝિમ્બાબ્વેની વિરુદ્ધ લીધી હતી. આ મેદાન પર 46 વનડે મેચ થઇ છે. એમાં 27 વખત પહેલી બોલિંગ કરનાર ટીમ જીતી છે.
એટલે કે 16 જૂને થનારી ભારત પાકિસ્તાનની મેચમાં તિરંગો વધારે લહેરાવાનો છે. ભારતીય ફેન્સની સંખ્યા વધારે હોવાથી ભારતીય ખેલાડીઓને પણ મૉરલ સપોર્ટ મળશે. કુલ મળીને મુકાબલો રોમાંચક થવાનો છે. જો કે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોથી વધારે આ મેચની ટીવીમાં જોવામાં આવશે. ક્રિકેટમનાં રસ ના દાખવનાર પણ પાકિસ્તાનની સાથે થનારી મેચ જોવા માટે ટીવીની સામે ચીપકી જાય છે.
તો બીજી બાજુ 30 જૂને એઝબેસ્ટનમાં ભારતની વિરુદ્ધ ઇંગ્લેન્ડની મેચ હશે. એ મેચમાં પણ પણ ભારતીય પ્રશંસકોની સંખ્યા બ્રિટિશ પ્રશંસકોથી વધારે છે.