ભારત સરકાર પણ એલર્ટ થઈ, મોદી સરકાર કરી શકે છે મોટી બેઠક
ભારત સહિત દુનિયાભરના દેશોમાં મંદીનું સંકટ મંડરાઈ રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આગામી વર્ષે દુનિયા ભારે મંદીના સંકટનો સામનો કરી શકે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. તેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તેના પર એક મહત્વની બેઠક કરવાના છે. હકીકતમાં આ મહિનાના અંતમાં અર્થવ્યવસ્થા અને વાણિજ્યના મુદ્દા પર ચર્ચા માટે પીએમ મોદીએ મંત્રી પરિષદ અને તમામ સચિવો સાથે મુલાકાત કરી શકે છે. આ વાતની જાણકારી અધિકારીઓએ આપી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, આ મહિનાના અંતમાં થનારી આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે. આવુ એટલા માટે કેમ કે, આ વર્લ્ડ બેંકના લેટેસ્ટ રિપોર્ટને ધ્યાનમાં રાખીને થઈ રહ્યું છે. જે જણાવે છે કે, સેન્ટ્રલ બેંક દ્વારા મોનેટરી પોલિસીને કડક કરવાની વચ્ચે દુનિયા આગામી વર્ષે ભારે મંદીનો સામનો કરી શકે છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અધિકારીએ કહ્યું કે, લાંબા સમયથી આવી રીતની બેઠકોમાં અર્થવ્યવસ્થા અને વાણિજ્ય પર ક્યારેય ચર્ચા થઈ નથી. જો કે, આ બેઠકમાં વર્લ્ડ બેંકના નવા રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં થવા જઈ રહી છે. અધિકારીએ જણાવ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ફક્ત 20 મહિના બાકી છે, તે અગાઉ આ બેઠક ખૂબ જ જરુરી માનવામાં આવી રહી છે.
ડેવલપમેંટ અને ઈન્વેસ્ટમેંટને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
આ મીટિંગનો ઉદ્દેશ્ય પ્રાયોરિટીવાળા સેક્ટર અને પોલિટિકલ ટાસ્ટની ઓળખ કરવાનો છે. આશા છે કે, મંત્રીપરિષદ અને તમામ સચિવોની સાથે પીએમ મોદીની આ બેઠક 28 અથવા 30 સપ્ટેમ્બરે થઈ શકે છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદી બંને અર્થવ્યવસ્થા અને વાણિજ્યના પરિણામોની સ્થિતિની સમીક્ષા લઈ શકે છે. સાથે જ ડેવલપમેંટ અને નવા ઈન્વેસ્ટમેંટને વધારે પ્રોત્સાહન આપવા માટે નવા ટાર્ગેટ્સ અને ડેડલાઈન નક્કી કરી શકે છે. એક બીજા અધિકારીએ કહ્યું કે, આ બેઠકમાં ભાગ લેનારા તમામ મંત્રીઓ અને સચિવોને સૂચના આપી દેવાઈ છે. જો કે, હજૂ સુધી આ મુદ્દા પર બેઠક કરવા માટે કોઈ એજન્ડા સેટ નથી કર્યો નથી.