જે બોક્સરે વિદેશમાં ભારતનું એવું નામ રોશન કર્યું કે લોકોએ કહ્યું કે આ ભારતનું ગૌરવ છે. તેનું નામ છે સીમરનજીત કૌર. આગામી ઓલમ્પિકમાં ભારત તરફથી બોક્સિંગ કરશે. આટલું જ નહિ તેણે વર્ષ 2018માં ભારતને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ અને 2019માં એશિયન ચેમ્પિયનશીપમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો તે હાલમાં નોકરીની તલાશમાં છે.
સિમરનજીતે ઘણી જગ્યાએ અરજી કરી છતાં નિરાશા હાથ લાગી
લોકો સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યો ગુસ્સો
સિમરનનાં આખા પરિવારનું ગુજરાન ટૂર્નામેન્ટમાં મળેલા નાણાથી જ ચાલે છે
સિમરનજીતનાં પિતાનું હાર્ટએટેકથી થયું મોત
ખબર અનુસાર સિમરનજીતે પંજાબ સરકારની અનેક ભરતીઓમાં અરજી પણ કરી પરંતુ તેને ક્યાંય નોકરી ન મળી. એક અહેવાલ પ્રમાણે તેના પિતા 4000 રૂપિયામાં નોકરી કરતા હતા પરંતુ બે વર્ષ પહેલાં જ હાર્ટએટેકથી તેમનું મોત નીપજ્યું હતું.
સિમરનની મોટી બહેન BSFમાં છે અને તે તેના પતિની સાથે રહે છે. આ સિવાય તેમના પરિવારમાં તેમની માતા, બે નાના ભાઈ અને એક નાની બહેન પણ છે. પરિવારની બધી જ જવાબદારી સિમરન પર છે પરંતુ સિમરનને હજુ સુધી સરકારી નોકરી મળી શકી નથી. સિમરનને ક્યાંય નોકરી ન મળતા તે જે પણ ટૂર્નામેન્ટ રમે છે અને જે આવક થાય છે તેનાથી સમગ્ર પરિવારનું ગુજરાન ચાલે છે.
ખેલાડીઓ પણ સિમરનજીત માટે આગળ આવ્યા
આ જોઇને હરભજનસિંહે ટ્વીટ કર્યું અને તેની મદદ કરવા અપીલ કરી. જે બાદ સોશિયલ મીડિયામાં લોકોએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. લોકોએ સવાલો ઉઠાવ્યા છે કે જો દેશનું નામ રોશન કરનાર લોકોની આ હાલત છે તો દેશનાં ભવિષ્યને આપણે રોજગાર કઈ રીતે પૂરાં પાડી શકીશું.