આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે એક વર્ષ અગાઉ સાબરકાંઠાના તલોદના વિલાસપુર ગામે એક સાથે દસથી વધારે કેન્સરના કેસ આવતા સમગ્ર વિસ્તારમાં ખરા સર્જાયો હતો. જોકે એક વર્ષ પછી પણ આજે ગામમાં ભયનો માહોલ યથાવત છે, તેમજ વહીવટી તંત્ર તરફથી કોઈપણ પ્રકારની ઠોસ કાર્યવાહી કરાઇ નથી જેના પગલે ગ્રામજનોમાં રોષ પણ છે.
4 ફેબ્રુઆરી 2021 વિશ્વ કેન્સર દિવસ
1 વર્ષ પહેલા સાબરકાંઠાના પ્રાંતિજના વિલાસપુર ગામે 10 કેન્સરના કેસ નોંધાયા હતા
આ મામલે તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ઠોસ કાર્યવાહી નથી કરાઇ
કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આથી રાજ્ય સરકાર પણ નાગરિકોનું આરોગ્ય દુરસ્ત રાખવા માટે વિવિધ કાર્યક્રમો ચલાવી રહી છે. અને હવે તો કેન્દ્ર સરકાર પણ આયુષ્યમાન ભારત કાર્યક્રમ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહી છે. પરંતુ તેમ છતાં વિધિની વક્રતા જુઓ કે આરોગ્ય વિષયક આટલા પગલાં છતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વિલાસપુર કંપા ગામે કેન્સરની મહામારી ભરડો લઈ ગઈ છે.
સાબરકાંઠાના પ્રાંતિજના વિલાસપુર ગામે 1 વર્ષ પહેલા એક સાથે કેન્સરના 10થી વધારે કેસ આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો હતો. સાથે-સાથે ગ્રામ લોકોમાં પણ આ મામલે વહીવટી તંત્ર સામે રોષનો માહોલ સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં આ ગામમાં આરોગ્ય વિભાગ સહિત સરકારમાંથી ચોક્કસ કામગીરીનો અભાવ રહેતા ગ્રામજનો અને કેન્સર થવા માટેનું કયું કારણ જવાબદાર હતું તે જાણી શકાયું નથી. જેના પગલે એક વર્ષ પછી પણ ગામ ભયના ઓથાર હેઠળ જીવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ ગામમાં અન્ય ગામડાઓની જેમ ખેતી અને પશુપાલન ઉપર આધારીત હોવાની સાથે-સાથે કોઈપણ કેમિકલ કે ફેક્ટરીથી દૂર રહેવા પામ્યું છે તેમજ ગામમાં એકસાથે આટલા બધા કેસ હોવા છતાં તમામ દર્દીઓ વ્યસનથી દૂર રહેતા હોય તેવાની જ કેન્સર થતાં ગામમાં ભય ફેલાયો હતો.
કોરોનાની રસી તો શોધી લીધી પરંતુ કેન્સર મામલે હજુ નિરાકરણ લાવવા તંત્ર નિષ્ફળ નિવડ્યું!
આજે એક વર્ષ પછી પણ ગામમાં વહીવટી તંત્ર દ્વારા તપાસ સર્વે તેમજ ચોક્કસ રિપોર્ટ ન કરતા ગ્રામજનો તંત્રથી નારાજ છે. જોકે પોતાના સ્વજનો ગુમાવી ચૂકેલા ગ્રામજનોમાં કેન્સરનું કારણ જાણવાની તીવ્ર ઈચ્છા યથાવત છે. આ મામલે આજે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોક્કસ પગલાં લેવાય તે સમયની માંગ છે. એક તરફ કોરોના મહામારી દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. તેમજ સમગ્ર વિશ્વ પાસે જ સમાધાન શક્ય ન હતું તેવા સમયે સંજોગે ભારતની સ્વદેશી બનાવટની કોરોના કોરોના ઉપર મત મેળવી છે. ત્યારે કેન્સરના મામલે હજુ સુધી ચોક્કસ નિરાકરણ લાવવા વહીવટી તંત્ર નિષ્ફળ નીવડી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
180 લોકોની વસ્તીમાંથી 20 લોકોને કેન્સર થયું હતું
વિલાસપુર ગામમાં 180 લોકો વસવાટ કરે છે. જેમાંથી 20થી વધુ લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે. અત્યાર સુધીમાં કેન્સરગ્રસ્ત 20 લોકોમાંથી 9 લોકો તો મૃત્યુની ચીર નિદ્રામાં પોઢી ગયા છે. અને હાલ 10થી વધારે લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. 180 વ્યક્તિઓમાંથી 20 જણાને કેન્સર હોવું એ સામાન્ય વાત નથી. જેના કારણે ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પરંતુ જિલ્લામાં કેન્સરે આ રીતે ભરડો લીધો હોવા છતાં આરોગ્ય વિભાગે હજુ જાણે નિદ્રામાં છે. લોકો સરકારના આરોગ્ય વિભાગને પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે.
જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જે તે સમયે મુલાકાત કરી ચોક્કસ રિપોર્ટ કરાવેલ છે, તેમજ આગામી સમયમાં મામલે જરૂરિયાત પડે તો ફરીથી મુલાકાત કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આવું ક્યારે થશે તે યક્ષ પ્રશ્ન છે.