આજે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્સર થવા માટે કે ફેલાવવા માટે વાતાવરણનું પ્રદૂષણ અને બદલાતી જીવનશૈલી જવાબદાર છે. જો તમે તમારા રોજના ડાયટમાં આ ચીજોને સામેલ કરો છો તો તમે કેન્સર જેવા ભયાનક રોગથી બચી શકો છો.
વર્લ્ડ કેન્સર ડે પર આ ચીજો ખાવાનું ટાળો
કેન્સરને આમંત્રણ આપે છે આ 5 ફૂડ
આજથી જ બદલી લો તમારી ફૂડ હેબિટ
માઈક્રોવેવ પોર્પકોર્ન
માઈક્રોવેવમાં બનાવેલી પોર્પકોર્ન કેન્સરનું કારણ બને છે. માઈક્રોવેવમાં પોર્પકોર્ન નાંખવાથી પરફ્યૂરોક્યાનોઈક એસિડ બને છે. તેનાથી કેન્સર ફેલાય છે. આ માટે સોયાબીન તેલનો ઉપયોગ કરાય તે જરૂરી છે.
નૉન ઓર્ગેનિક ફળ
જે ફળ લાંબા સમયથી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હોય છે તેને સાફ કરવાથી પણ તેની પર કેમિકલનું લેયર આવી જાય છે. તેના કારણે કેન્સરની શક્યતા વધે છે. નક્કી સમય બાદ સ્ટોર કરેલા ફળને પણ નષ્ટ કરી દેવા જોઈએ. જેથી કેન્સરથી બચી શકાય.
ટામેટા
ટામેટાને લાંબા સમય સુધી બંધ રાખવાથી પણ બિસફેનોલ-એ-નામનું કેમિકલ બને છે જે કેન્સરને વધારે છે. તેના સિવાય પણ આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ અને કેન્સરને આમંત્રણ આપીએ છીએ. તો શક્ય તેટલો આ પ્રકારના ટામેટાનો ઉપયોગ ટાળો તે જરૂરી છે.
બટાકાની વેફર્સ
આપણા દેશમાં એક તરફ બટાકાની વેફર્સને તમામ કંપનીઓ પેક કરીને વેચે છે. જ્યારે તેમાં સોડિયમ, નકલી રંગનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. જેના કારણે કેન્સર ફેલાય છે.
પ્રોસેસ્ડ મીટ
પ્રોસેસ્ડ મીટ ખાવાથી કેન્સર થાય છે. મીટને સુરક્ષિત રાખવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તેમાં સોડિયમનો ઉપયોગ થાય છે. સોડિયમથી સોડિયમ નાઈટ્રેટ મળે છે જેનાથી કેન્સરની શક્યતા વધે છે.