વ્યાજદરમાં વધારો કરવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો મંદીની શક્યતા નકારી શકાય નહીં. વિશ્વ બેંકે પણ પોતાના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરી છે.
મોંધવારીને લઈને બેન્કોએ પોલિસી રેટોમાં વધારો
વિશ્વ બેન્કના રીપોર્ટ મુજબ 2023માં મોંધવારી આવશે
ડોલરની મજબૂતીને કારણે અન્ય દેશોની કરન્સીમાં ઘટાડો
વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને વિશ્વભરની મધ્યસ્થ બેન્કો પોલિસી રેટમાં વધારો કરી રહી છે. સામાન્ય રીતે મધ્યસ્થ બેન્કો બજારમાંથી રોકડ લઇને ફુગાવાને અંકુશમાં લેવા માટે આ પગલું લે છે. પોલિસી રેટમાં વધારો થયા બાદ બેન્કો પાસેથી લોન લેવી પણ મોંઘી થઇ જાય છે. આની અસર લોકોના ખર્ચ પર પડે છે અને બજારમાં માંગ ઘટે છે, જે ધીમે ધીમે ફુગાવો ઘટાડે છે. હવે વાત કરીએ યુએસ ફેડરલ રિઝર્વ (યુએસ ફેડ)ની, જેની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની 20 અને 21 સપ્ટેમ્બરે બેઠક મળી રહી છે અને ફુગાવાને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવાનો છે. જો વ્યાજદરમાં વધારો કરવાનો ટ્રેન્ડ આમ જ ચાલુ રહેશે તો મંદીની શક્યતા નકારી શકાય નહીં. વિશ્વ બેંકે પણ પોતાના રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરી છે.
વિશ્વ બેંકે મંદીની ચેતવણી કેમ આપી?
15 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં વિશ્વ બેંકે આશંકા વ્યક્ત કરી છે કે જો કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો 2023માં મંદી આવવાની શક્યતા નકારી શકાય નહીં. વિશ્વ બેંકે કહ્યું છે કે ફુગાવાને નિયંત્રિત કરવા માટે છેલ્લા પાંચ દાયકા દરમિયાન મધ્યસ્થ બેંકોએ આ રીતે દરોમાં વધારો ક્યારેય કર્યો નથી. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીમી પડવાની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. એક અભ્યાસને ટાંકીને વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા, ચીન અને યુરોપિયન દેશો સૌથી ઝડપી ગતિએ આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યા છે.
ડોલરની મજબૂતીને કારણે અન્ય દેશોની કરન્સીમાં ઘટાડો
વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી છે. મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરના મૂલ્યમાં થાય છે. જ્યારે ડોલર મજબૂત હોય છે, ત્યારે અન્ય અર્થતંત્રો અને બજારો પર પણ તેની નોંધપાત્ર અસર પડે છે. ડોલર સામે રૂપિયાની સ્થિતિ તમે જોઈ છે, જે હાલમાં જ 80ની સપાટીને પણ પાર કરી ગઈ છે. જાપાનનું ચલણ યેન અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનના યુઆન પણ તેમાં અપવાદ નથી.
આગામી વર્ષે વૈશ્વિક વૃદ્ધિ દર વધીને 0.5 ટકા થવાની શક્યતાઃ વિશ્વ બેંક
વિશ્વભરની મધ્યસ્થ બેન્કો જે રીતે ફુગાવાને અંકુશમાં લેવા માટે દરોમાં વધારો કરી રહી છે તે જોતાં વિશ્વ બેન્કે અંદાજ મૂક્યો છે કે તેમાં વધારાનો 2 ટકાનો વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં વૈશ્વિક જીડીપી ગ્રોથ આવતા વર્ષે ઘટીને 0.5 ટકા થઈ શકે છે. માથાદીઠ આ ઘટાડાને જોતા તે 0.4 ટકા હોઈ શકે છે અને તકનીકી રીતે તેને વૈશ્વિક મંદી કહી શકાય.
જો મંદીનો માર પડશે તો ભારતનું શું થશે
PwCએ તેના તાજેતરના અહેવાલમાં એક ડરામણી તસવીર રજૂ કરી છે. અમેરિકામાં બિઝનેસ રિસ્ક મેનેજમેન્ટ પર કરવામાં આવેલા સર્વેમાં 50 ટકા લોકોએ કહ્યું કે તેઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા પર વિચાર કરી રહ્યા છે. ભારતની વાત કરીએ તો કોરોના વાયરસ આવ્યા બાદથી 25 હજાર સ્ટાર્ટઅપ કર્મચારીઓએ નોકરી ગુમાવી દીધી છે. આ વર્ષે જ 12 હજારથી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ સિક્કાનું એક પાસું છે. બીજી બાજુ પણ જોઈએ.
નિષ્ણાંતોનું શું કહેવું છે,
મહિન્દ્રા ગ્રુપના ચીફ ઇકોનોમિસ્ટ ડૉ.સચ્ચિદાનંદ શુક્લાનું કહેવું છે કે 2-3 વખત હળવી મંદીનો અનુભવ થોડા ક્વાર્ટર બાદ ભારત માટે સકારાત્મક રહ્યો હતો. વૈશ્વિક મંદીની સ્થિતિમાં આપણા દેશની નિકાસ અને નાણાકીય ક્ષેત્રને અસર નહીં થાય તેમાં કોઈ શંકા નથી. જો કે શુક્લાનું કહેવું છે કે મંદીની સ્થિતિમાં આપણે વિદેશથી આયાત કરેલો માલ સસ્તો થઇ જાય છે. ઉદાહરણ તરીકે, ક્રૂડ ઓઇલ અને અન્ય કોમોડિટીઝ. જ્યારે દુનિયાભરના અર્થતંત્રો નકારાત્મક છે અથવા તેમનો વિકાસ ખૂબ જ નીચો છે, ત્યારે ભારતનો વિકાસ 6 ટકા થાય તો પણ આપણે વૈશ્વિક મૂડીને આકર્ષવામાં સક્ષમ બનીશું.