નવેમ્બર 2016માં કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયથી વિત્ત વર્ષ 2016-17 દરમિયાન દેશનો વિકાસ દર ( ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ-GDP)ને 7.3% સુધીનું નુકસાન પહોંચ્યું છે. આ નુકસાન દેશના તે જિલ્લાઓને ઉઠાવવું પડ્યુ છે જે બિનસંગઠિત ક્ષેત્રના વેપાર માટે મહત્વના છે. આ મૂલ્યાંકન વિશ્વ બેંકે નોટબંધીના નિર્ણયથી ભારતીય અર્થવ્યવસ્થાને થયા નુકસાન પર કર્યુ છે.
વિશ્વ બેંકની રિપોર્ટ અનુસાર બિનસંગઠિત ક્ષેત્ર માટે મહત્વના જિલ્લામાં GDP ગ્રોથ 4.7 - 7.3% સુધી ઓછી થઇ ગઇ છે. વિશ્વ બેંકે આ મૂલ્યાંકન કરવા માટે અપરંપરાગત માધ્યમનો ઉપયોગ કર્યો છે. આ માધ્યમ હેઠળ વિશ્વ બેંકે એશિયામાં નેપાળના ભૂંકપ અફધાનિસ્તાનમાં તણાવ અને ભારતમાં મોદી સરકારની નોટબંધીના નિર્ણયના આધાર પર એશિયાઇ અર્થવ્યવસ્થાઓને પહોંચાડેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે આ અપંરપરાગત માધ્યમથી મૂલ્યાંકન કરવા માટે વિશ્વ બેંકના આર્થિક ગતિવિધિઓની માપવા માટે સાંજે અને રાતના સમયમાં વિજળી તીવ્રતાનું અધ્યયન કરવામાં આવ્યુ છે. વિશ્વ બેંક અનુસાર સાંજે અને રાતના સમયે વિજળીની તીવ્રતાની આર્થિક ગતિવિધિ અને વિકાસ દર માપવાનો માપદંડ છે કેમકે ઉર્જાની ખપત અને ઉત્પાદન એકબીજાની સાથે જોડાયેલા છે.
વિશ્વ બેંકની રિપોર્ટમાં આ મૂલ્યાંકન સાઉથ એશિયાના મહત્વના જિલ્લામાં ઉર્જાની ખપતને સેટેલાઇટને મદદથી મળતી ઇમેજ (લ્યૂમિનૉસિટી - સાંજ અને રાતના સમયમાં ઔધોગિક ક્ષેત્રોમાં વિજળીની ચમક)ના આધાર પર કરવામાં આવ્યુ છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી પછી ભારતના પ્રમુખ ઔધોગિક જિલ્લામાં સાંજ અને રાતના સમયમાં સેટેલાઇટની ઓછી ચમક દાખલ થઇ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે આ ક્ષેત્રોમાં ચમકમાં આવેલો ઘટાડો નોટબંધીના નિર્ણય પછી શરૂ થઇ અને 2 મહિના સુધી જારી રહી.
સરકારી આંકડા અનુસાર ભારતની GDP વિત્ત વર્ષ 2016-17ની ત્રીજી ત્રિમાસિકના દરમિયાન વર્ષ દર વર્ષના આધાર પર 10.8% વધીને 38.5 ટ્રિલિયન સુધી પહોંચી ગઇ છે. ખાસ વાત છે કે સરકારના આંકડાઓ અનુસાર વિત્ત વર્ષની બીજી ત્રિમાસિકની વિકાસ દર આજ સ્તર પર રહ્યો અને ચોથી ત્રિમાસિકમાં 1%નો વધારો એટલે કે 11.7% સુધી પહોંચી ગયો હતો. ત્યારે સરકારી આંકડામાં દાવો કરે છે કે 2017-18ની પહેલી ત્રિમાસિક દરમિયાન GDP ગ્રોથ 11%થી ઉપર રહ્યો.