નાણામંત્રી નિર્મલા સીતારામણ સાથેની મુલાકાત દરમિયાન ડેવિડ માલપાસે કહ્યું કે કોરોનાની સામે ભારતે વેક્સિનેશન અભિયાનમાં ઘણું શાનદાર કામ કર્યું છે. વેક્સિન પ્રોડક્શનમાં પણ ભારતનું ઘણું યોગદાન રહ્યું છે. તે ઉપરાંત મુલાકાતમાં ક્લાઈમેટ ચેન્જના મુદ્દે પણ વિસ્તારથી વાત થઈ હતી.
ભારતનું રસીકરણ અભિયાન કેટલું સફળ છે?
ભારતના રસીકરણ અભિયાનની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 97.23 કરોડ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. દેશમાં ૭૦ ટકા લોકોને પ્રથમ ડોઝ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ૩૦ ટકા લોકોને બંને ડોઝ મળ્યા છે. હવે એક તરફ રસીકરણની ગતિ ઝડપી છે તો બીજી તરફ કોરોના મીટર ધીમું પડી ગયું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 15,981 કેસ નોંધાયા છે. મૃત્યુ પણ 200 થી નીચે નોંધાયા છે.
વર્લ્ડ બેન્કના પ્રમુખે ભારતીય ઈકોનોમીના મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું
આ પહેલા બુધવારે પણ વર્લ્ડ બેન્કના પ્રમુખ ભારતીય ઈકોનોમીના મુદ્દે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે જણાવ્યું કે ભારતીય ઈકોનોમી ધીરેધીરે કોરોનાની મારમાંથી બહાર આવી રહી છે અને વર્લ્ડ બેન્ક તેનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે ઓપચારિક સેક્ટર અર્થવ્યવસ્થામાં વધારે લોકોને સામેલ કરીને લોકોની આવક વધારવાનો ભારતની સામે હજુ પણ મોટો પડકાર રહેલો છે જોકે ભારતે આ સેક્ટરમાં થોડી પ્રગતિ કરી છે પરંતુ તે પુરતી નથી.