બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એલર્ટ! ભારતમાં જ્વાળામુખી મચાવશે તબાહી, જ્યારે અહીં આવશે ભૂકંપ અને સુનામી

ચેતવણી / એલર્ટ! ભારતમાં જ્વાળામુખી મચાવશે તબાહી, જ્યારે અહીં આવશે ભૂકંપ અને સુનામી

Nidhi Panchal

Last Updated: 09:56 AM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં એક જ્વાળામુખી છે જે હજુ પણ સક્રિય છે અને તે ગમે ત્યારે ફાટી શકે છે. આંદામાન સમુદ્રમાં આવેલા બેરેન ટાપુ પર સ્થિત આ જ્વાળામુખી માટે તજજ્ઞોએ ભારત સહિત ત્રણ દેશોને ચેતવણી આપી છે.

આ વર્ષે ઘણા દેશોમાં જ્વાળામુખી ફાટવાના સમાચાર આવ્યા છે, અને હવે એવી ચિંતા ભારત માટે પણ ઉભી થઈ છે. ભારતના આંદામાન સમુદ્રમાં આવેલા બેરેન ટાપુ પર સ્થિત એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફરી સક્રિય થવાની શક્યતા છે. આ જ્વાળામુખી પોર્ટ બ્લેરથી આશરે 138 કિમી દૂર છે. જો આ જ્વાળામુખી ફાટશે, તો તેની અસર માત્ર ભારત સુધી સીમિત નહીં રહે, પણ તે થાઇલેન્ડ અને મ્યાનમાર સુધી પહોંચશે અને સમુદ્રી પૂરો અને સુનામી જેવી કુદરતી આપત્તિઓ સર્જાઈ શકે છે.

volcano

પ્રખ્યાત દરિયાઈ ઇકોલોજિસ્ટ થોન થામરોંગનાવાસાવતે ભારત, થાઇલેન્ડ અને મ્યાનમારના વૈજ્ઞાનિકોને આ અંગે ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે તાજેતરમાં થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ હાથ ધરાયેલ સંશોધનમાં આંદામાન સમુદ્રની નીચે સક્રિય જ્વાળામુખી હોવાનો સંકેત મળ્યો છે. તેમણે ગુરુવારે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે આ ક્ષેત્રમાં ભૂકંપીય પ્રવૃત્તિઓ વધતી જોવા મળી રહી છે, જે જ્વાળામુખી ફાટવાનો સંકેત આપે છે.

જ્વાળામુખી ફાટશે તો...

જો આ જ્વાળામુખી ફાટશે તો સમુદ્રમાં ઉંચા મોજા ઉછળી શકે છે અને સુનામી આવી શકે છે. જોકે, થાઇલેન્ડના અખાત સુધી આ મોજાની અસર ઘણી ઓછી હોવાનું પણ જણાવાયું છે. જોકે ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ આ સુનામીથી ગંભીર અસરગ્રસ્ત થઈ શકે છે. ભૂકંપના ધક્કા ફિલિપાઇન્સ સુધી પણ પહોંચી શકે છે.

આ જ્વાળામુખી છેલ્લે ક્યારે ફાટ્યો હકો?

આ જ્વાળામુખી છેલ્લે 2022માં ફાટ્યો હતો પણ તેની અસર ઘણી ઓછી હતી. તેટલું જ નહીં, વિસ્ફોટ વખતે સમુદ્રના અંદર 4 તીવ્રતાના ભૂકંપની નોંધ પણ લેવાઈ હતી. થાઇલેન્ડના ભૂકંપ વિભાગ અનુસાર, થાઇલેન્ડના ફાંગ નગા બીચથી 470-480 કિમી દૂર ભૂકંપીય પ્રવૃત્તિઓ નોંધાઈ રહી છે. જો ત્યાં જ્વાળામુખી ફાટશે તો તેની અસર સમુદ્રમાં વિશાળ સુનામી તરીકે દેખાઈ શકે છે.

app promo4

આ પણ વાંચો : શું છે અમેરિકાનું 'બિગ બ્યુટીફૂલ બિલ'? જેનાથી ભારતીયોને થશે સીધી અસર, જાણો ઇફેક્ટ

વિજ્ઞાનીઓનું શું કહેવું છે?

વિજ્ઞાનીઓનું કહેવું છે કે કુદરતી આપત્તિઓ જેવી કે જ્વાળામુખી અને સુનામીની ચોક્કસ આગાહી શક્ય નથી, પરંતુ સાવચેતી અને તૈયારીથી મોટા નુકસાનને ટાળી શકાય છે. જેમ કે 2022માં ટોંગામાં 20 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા, એવી જ રીતે આંદામાન સમુદ્રમાં પણ વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. માટે, ગભરાશો નહીં, પણ હંમેશા સાબધાની રાખો અને તૈયાર રહો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Barren Island Andaman Volcano India Tsunami Alert
Nidhi Panchal
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ