એઈડ્સના કારણો અને તેનું નિદાન કરવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા દર વર્ષે 1 ડિસેમ્બરે વર્લ્ડ એઈડ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર દુનિયામાં લગભગ 3.5 કરોડ લોકો એચઆઈવીથી પીડિત છે. જેમાંથી માત્ર 62 ટકા લોકો જ સમયસર ઈલાજ કરાવી શકે છે. તો આ ખાસ દિવસ નિમિત્તે ચાલો જાણીએ કઈ રીતે ફેલાય છે એઈડ્સ અને તેનાથી બચવાનો રસ્તો શું છે.
દર વર્ષે 1 ડિસેમ્બરે વર્લ્ડ એઈડ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે
અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધવાથી થાય છે એઈડ્સ
ગર્ભવતી મહિલામાં એચઆઈવી હોય તો બાળકને પણ ખતરો હોય છે
શું છે એચઆઈવી એઈડ્સ થવાના કારણો
એચઆઈવી પોઝિટિવ અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધવાથી થાય છે
એચઆઈવી (હ્યુમન ઈમ્યુનો ડેફિસિયન્સી વાયરસ)થી ગ્રસિત વ્યક્તિને લગાવેલો ઈન્જેક્શન અન્ય વ્યક્તિને લગાવવાથી આ બીમારી થાય છે
આ બીમારીથી પીડિત વ્યક્તિનું બ્લડ કોઈ અન્ય વ્યક્તિમાં ચઢાવવાથી એચઆઈવી થઈ શકે છે
જો કોઈ ગર્ભવતી મહિલામાં એચઆઈવી વાયરસ હોય તો જન્મ લેનાર બાળકમાં પણ આ વાયરસ આવી શકે છે. ઈન્ફેક્ટેડ મા બાળકને ફીડિંગ કરાવે તો પણ એચઆઈવી ફેલાય છે.
આ છે એચઆઈવી લક્ષણ
આ એક એવી બીમારી છે જેની શરૂઆતના દિવસોમાં કોઈપણ પ્રકારના લક્ષણ સામે આવતા નથી. વ્યક્તિ એકદમ સાધારણ અને સ્વસ્થ જ દેખાય છે. કેટલાક વર્ષો બાદ જ તેના લક્ષણો જોવા મળે છે. જેમ કે,
તાવ આવવો
નિયમિત રીતે શરીરમાં થાક રહેવો
સૂકી ખાંસી થવી
વજન ઘટવા લાગવું
સ્કિન, મોં, આંખો નીચે અથવા નાક પર ધબ્બા પડવા
યાદશક્તિ નબળી થવી
શરીરમાં દુખાવો રહેવો
આ એક રીતથી રહી શકાય છે સુરક્ષિત
એઈડ્સને જડથી ખતમ કરવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો વેક્સીનની શોધ કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી સંપૂર્ણ રીતે સફળતા મળી શકી નથી. જેથી એઈડ્સથી બચાવ જ એઈડ્સથી સુરક્ષિત રહેવાનો રસ્તો છે. તેના કારણોને ઓળખીને તમે એચઆઈવી સંક્રમણથી બચી શકો છો.