મોદી સરકારની યોજના છે કે હુનર હાટ દ્વારા રોજગાર મેળવનારા લોકોની સંખ્યા આગામી બે વર્ષમાં વધીને 17 લાખ સુધી પહોંચે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ શનિવારે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષોમાં હુનર હાર્ટ દ્વારા 7 લાખથી વધુ કારીગરો અને શિલ્પકારોને રોજગાર મળ્યો છે.
હુનર હાટ દ્વારા રોજગાર મેળવનારા લોકોની સંખ્યા વધશે
છેલ્લાં 5 વર્ષોમાં હુનર હાર્ટ દ્વારા 7 લાખથી વધુ કારીગરોને રોજગાર મળ્યો
આગામી બે વર્ષમાં કુલ 17 લાખ લોકોને મળશે રોજગાર
તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્ય આગામી બે વર્ષમાં આ પહેલ દ્વારા કુલ 17 લાખ લોકોને રોજગાર આપવાનુ છે. કેન્દ્ર સરકારે ભારતના પારંપરિક શિલ્પ, વ્યંજન અન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની હુનર હાટ પહેલની શરૂઆત કરી છે. ગુજરાતના સુરતમાં 12 ડિસેમ્બરે આયોજીત થનારા સંમેલન પહેલાં નકવીએ કહ્યું કે આ પહેલે શિલ્પકારોને પોતાના પારંપરિક, પૈતૃક કૌશલ સાથે જોડવાની સાથે-સાથે રોજગાર ઉભો કરવામાં મદદ કરી છે.
કારીગરો અને શિલ્પકારોને રોજગારના અવસર પ્રાપ્ત થયા
તેમણે કહ્યું, દેશના અલગ-અલગ ભાગમાં હુનર હાટના માધ્યમથી સાત લાખથી વધુ કારીગરો અને શિલ્પકારોને રોજગારના અવસર પ્રાપ્ત થયા છે. અમારા પ્રયાસ આ સંખ્યાને આગામી બે વર્ષમાં વધારીને 17 લાખ કરવાની છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હુનર હાટ દેશના અલગ ભાગના કારીગરો અને શિલ્પકારોને તેમની પારંપરિક અને પૈતૃત વિરાસતના સંરક્ષણ અને સંવર્ધનના અવસર પ્રદાન કરવાનું એક સફળ અને સાર્થક અભિયાન છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રવિવારે સુરતમાં હુનર હાટનું ઉદ્ધાટન કરશે.