દિલ્હી NCRમાં પ્રદૂષણ રોકવા કેજરીવાલ સરકારે વર્ક ફ્રોમ હોમનો પ્રસ્તાવ મુક્યો છે. સાથેજ કન્સ્ટ્રકશન સાઈટો પણ અહીયા બંધ થઈ શકે છે. કારણકે સરકાર દ્વારા કન્સટ્રક્શન સાઈટોને બંધ કરવાનો પ્રસ્તાવ પણ મુકાવામાં આવ્યો છે.
દિલ્હી એનસીઆરમાં કેજરીવાલ વર્ક ફોર્મ તશે લાગૂ
દિલ્હી સરકારે પ્રદૂષણ રોકવા મુક્યો પ્રસ્તાવ
કન્સટ્રકશન સાઈટ પણ બંધ થાય તેવી શક્યતા
રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં હવે પ્રદૂષણથી પરિસ્થિતી બગડી રહી છે. જેના કારણે એકવાર ફરીથી દિલ્હી-એનસીઆરમાં લોકાડાઉન લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજધાની દિલ્હીમાં તો પ્રદૂષણને લઈને ઘણા પ્રતિબંધો લાગી ચુક્યા છે. પરંતુ હવે એનસીઆરમાં પણ ઘણા બધા પ્રતિબંધો લાગી શકે છે.
કન્સ્ટ્રકશન એક્ટિવિટી થશે બંધ
દિલ્હી સરકારે મંગળવારે યુપી, પંજાબ અને હરિયાણા સાથે મીટિંગ કરીને એનસીઆરમાં વર્ક ફ્રોમ હોમ લાગૂ કરવા માટે પ્રસ્તાવ મુક્યો છે. સાથેજ કન્સ્ટ્રકશન એક્ટિવિટી અને ઈન્ડસ્ટ્રીને પણ બંધ કરવાની માગ કરી છે.
દિલ્હીમાં પહેલાથી સ્કૂલો બંધ
આપને જણાવી દઈએ કે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારથીજ એક સપ્તાહ માટે સ્કૂલો બંધ રાખવાના આદેશ આપ્યા છે. સાથેજ તેમણે કંસ્ટ્રકશન એક્ટિવિટી પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ઉપરાંત દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે પહેલાથી વર્ક ફ્રોમ હોમનો આદેશ આપી દીધો છે. જેથી પ્રદૂષણ કાબૂમાં કરી શકાય.
પ્રદૂષણ રોકવા લેવાશે કડક પગલા
ઉલ્લેખનીય છે કે ગોપાલ રાયે આજે કહ્યું કે સોમવારે DPCCની ટીમે અમુક વિસ્તારોનું નિરિક્ષણ કર્યું હતું. જેમા તેમણે જોયું કે પ્રદૂષણને કાબૂ કરવા માટે કયા કયા પગલા ભરી શકાય. ગોપાલ રાયે સમગ્ર મામલે કહ્યું એવી સલાહ આપી હતી કે પ્રદુષણને રોકવા માટે કન્સટ્રકશન એક્ટિવિટી પર પણ પ્રતિબંધ લગાવાની જરૂર છે.