નદીમાંથી પાણી ચોરવાની ઘટના તો આપણે સાંભળતાં આવ્યા છે. પરંતુ નદી વચ્ચે રસ્તો બનાવવાની વાત પણ સામે હતી. તે પણ નર્મદાના વિશાળ પટમાં. એક ખાનગી રિસોર્ટના માલિકે પોતાના રિસોર્ટમાં લોકો સહેલાઈથી આવી શકે તે માટે સૂકાયેલી નર્મદા વચ્ચે પાળો તૈયાર કરી રસ્તો બનાવી દીધો હતો. ત્યારે હવે તંત્ર દ્વારા તે પાળો તોડવામાં આવી રહ્યો છે.
ભરૂચમાં નર્મદા નદીમાં પાળો બાંધવાના મામલે વીટીવી દ્વારા અહેવાલ રજૂ કર્યો હતો. વીટીવીએ રજૂ કરેલા અહેવાલની અસર થઈ છે. વીટીવીએ અહેવાલ રજૂ કર્યા બાદ તંત્ર જાગ્યુ છે. તંત્ર દ્વારા પાળો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહત્વનુ છે કે, ભરૂચમાં નિલકંઠેશ્વર ઘાટ પાસે રિસોર્ટના માલિક દ્વારા નદી પાસે પાળો બનાવવામાં આવ્યો હતો. રિસોર્ટ સુધી પહોંચવા માટે રિસોર્ટના માલિકે પાળો બનાવ્યો હતો. આ મામલે વીટીવીએ અહેવાલ રજૂ કરતા તંત્રની આંખ ખુલી છે. તંત્ર દ્વારા પાળો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના નીલકંઠેશ્વર ઘાટ પાસે રિસોર્ટના માલિક દ્વારા દબાણ કરવાના વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું છે. નીલકંઠેશ્વર ઘાટ પાસે રિસોર્ટ માલિકે રસ્તો બનાવી દીધો છે જે અંગે કોઇ મંજૂરી નથી લેવાઇ. જેને લઇ વીટીવીએ થોડા દિવસ અગાઉ રિપોર્ટ રજૂ કર્યો હતો.